જાહેરાત
તાજા સમાચાર
‘ઈંધણ બચાવો’ના સંદેશ સામે સુરતમાં રાજકીય કાર્યક્રમની ભીડ? ભાજપના સ્થાનિક નેતાઓના આમંત્રણથી ઉઠ્યા સવાલો. | હું 100 લોકોને લઈને આવીશ... તમને જોઈ લઈશ! જામનગરમાં વીજ ચેકિંગ ટીમને ધમકી, મહિલા ઇજનેરને રૂમમાં પૂરી ડખ્ખો. | આધાર અપડેટ હવે વધુ સરળ: ઘરે બેઠા જ બદલો આધાર કાર્ડનું સરનામું, જાણો સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા. | મોરવા હડફના આલું (મેત્રાલ) ગામે ₹31.33 કરોડના પંપિંગ સ્ટેશન-2નું ખાતમુહૂર્ત: 1,250 હેક્ટર જમીનને મળશે બારેમાસ સિંચાઈનું પાણી. | ધોરણ-12ના પરિણામથી નિરાશ થઈ ઘર છોડનાર વિદ્યાર્થી 12 કલાકમાં હેમખેમ મળ્યો, જામનગર પોલીસની સતર્કતાથી પરિવારને મળ્યો પુત્ર. | શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 521 પોઈન્ટ ઉછળી 78,285 પર બંધ, નિફ્ટી 160 પોઈન્ટના વધારા સાથે રોકાણકારોમાં ઉત્સાહ. | લાયન્સ ક્લબ ઓફ જામનગર (વેસ્ટ)ની નવી ટીમ જાહેર: વૈશાલીબેન ઉદાણી પ્રમુખ, ડિમ્પલબેન રાવલ મંત્રી તરીકે સર્વાનુમતે વરણી. | સાપર ગામે ગેરકાયદે ખનન સામે તવાઈ: ભૂસ્તરવિજ્ઞાન વિભાગ અને સિક્કા પોલીસનો સંયુક્ત દરોડો, રૂ. 65 લાખનો મુદ્દામાલ જપ્ત. | ચારીની વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલમાં એમજીવીસીએલનો વીજ સલામતી અને ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ, વિદ્યાર્થીઓને સુરક્ષિત વીજ વપરાશનું માર્ગદર્શન. | અલ-નીનોની ચેતવણી: વિશ્વમાં ગરમી, દુષ્કાળ અને અતિવૃષ્ટિનું જોખમ વધશે, ભારતના ચોમાસા અને કૃષિ પર પણ પડી શકે છે મોટી અસર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૭ વાર જોવાયેલ 2 કલાક પેહલા

મારું ગુજરાત કવાંટ તાલુકામાં કરુણ ઘટના: લીકેજના પાણીમાં ડૂબી બે માસૂમ બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ.

કવાંટ તાલુકામાં કરુણ ઘટના: લીકેજના પાણીમાં ડૂબી બે માસૂમ બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ.

કવાંટ: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કુપ્પા પાણી પૂરવઠા યોજનાની પાઇપલાઇનમાં લીકેજ થતાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં એક જ પરિવારની બે માસૂમ બહેનોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, મોટી ઝડુલી ગામમાં કુપ્પા પાણી પૂરવઠા યોજનાની પાઇપલાઇનમાં લીકેજ થતાં એક સ્થળે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન રમતાં રમતાં બે નાની બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનોએ બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના જીવ બચાવી શકાયા નહોતા.

મૃતક બાળકીઓની ઓળખ નીરુમતિબેન બુધારીયાભાઈ ભીલ (ઉંમર આશરે 4.5 વર્ષ) અને મીનાક્ષીબેન બુધારીયાભાઈ ભીલ (ઉંમર આશરે 3.5 વર્ષ) તરીકે થઈ છે. બંને મોટી ઝડુલી ગામના બુધારીયાભાઈ વેચાણભાઈ ભીલની દીકરીઓ હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના અકાળ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો દ્વારા પાણી ભરાયેલા જોખમી સ્થળોની સમયસર સુરક્ષા અને લીકેજની તાત્કાલિક મરામત માટે જવાબદાર તંત્ર સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ