જાહેરાત
તાજા સમાચાર
ભારે વરસાદથી ભાદર-૨ ડેમ 70% ભરાયો, ગમે ત્યારે પાણી છોડાઈ શકે: 35થી વધુ ગામો માટે હાઈ એલર્ટ જાહેર. | જામનગરમાં જર્જરિત ગીતાલોજ ઇમારત પર મહાનગરપાલિકાનો બુલડોઝર... | કેતન અગ્રવાલ કેસનો ઉલ્લેખ કરી રાજ્યસભાના સાંસદે ઉઠાવી ‘રાષ્ટ્રીય પુરુષ આયોગ’ની માંગ; પ્રાઈવેટ મેમ્બર બિલ ફરી ચર્ચામાં. | કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો વળાંક: સિયા ગોયલની કથિત સ્નેપચેટ ચેટ પોલીસના રડાર પર, તપાસમાં ષડયંત્રની આશંકા... | વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ઓનલાઈન ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ: મેલબર્ન કાર્યક્રમને લઈને તપાસ શરૂ. | પેટ્રોલ બાદ હવે ડીઝલમાં પણ બાયોફ્યુઅલ મિશ્રણની તૈયારી: 15% આઇસોબ્યુટેનોલ બ્લેન્ડિંગની યોજના જાહેર. | E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનને નુકસાન થાય છે? સરકાર અને ઓટો નિષ્ણાતોએ દૂર કરી ગેરસમજો.. | ભારતનું ટ્રિલિયન ડોલરનું રિટેલ માર્કેટ હવે AIના ભરોસે: ગ્રાહકોના વર્તનનું વિશ્લેષણ કરી બદલાઈ રહ્યો છે શોપિંગનો અનુભવ. | રેવાડી મર્ડર મિસ્ટ્રી: આત્મહત્યાનો દેખાવ, ડિલીટ ચેટ અને 49 કોલ્સે ખોલ્યો હત્યાનો કથિત ભેદ; પત્ની સહિત બે ઝડપાયા. | ફિલ્મો અને વેબ સિરીઝની પાયરસી મુદ્દે ટેલિગ્રામને કેન્દ્ર સરકારનું અલ્ટીમેટમ: 15 દિવસમાં માંગ્યો એક્શન ટેકન રિપોર્ટ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૨ વાર જોવાયેલ 3 કલાક પેહલા

મારું શહેર જામનગરમાં જર્જરિત ગીતાલોજ ઇમારત પર મહાનગરપાલિકાનો બુલડોઝર...

જામનગરમાં જર્જરિત ગીતાલોજ ઇમારત પર મહાનગરપાલિકાનો બુલડોઝર...

જામનગર શહેરમાં જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જર્જરિત બનેલી ગીતાલોજ ઇમારતનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. લાંબા સમયથી ખતરનાક હાલતમાં રહેલી આ ઇમારતને તોડી પાડવાની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી હતી.

ડિમોલિશનની કામગીરી દરમિયાન ટાઉન પ્લાનિંગ શાખાની સાથે એસ્ટેટ શાખા અને ફાયર શાખાની ટીમોને પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવી હતી, જેથી સમગ્ર કામગીરી સુરક્ષિત રીતે અને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના પૂર્ણ કરી શકાય. પોલીસ બંદોબસ્ત સાથે આસપાસના વિસ્તારમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

 

જર્જરિત ઇમારતને તોડી પાડવા માટે એક હિટાચી મશીન અને બે JCB મશીનની મદદ લેવામાં આવી રહી છે. ભારે મશીનરી વડે ઇમારતનું તબક્કાવાર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જેથી આસપાસની મિલકતોને નુકસાન ન પહોંચે અને કામગીરી સુનિયોજિત રીતે પૂર્ણ થઈ શકે.

મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, જાહેર જનતાની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને ખતરનાક હાલતમાં આવેલી જર્જરિત ઇમારતો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી, ડિમોલિશન દરમિયાન ધૂળ નિયંત્રણ અને સલામતીના તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા.

 

સ્થાનિક લોકો પણ આ કાર્યવાહીને આવકારી રહ્યા છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ ઇમારતના કારણે અકસ્માતનો ભય રહેતો હતો. હવે ડિમોલિશનની કામગીરી શરૂ થતાં આસપાસના રહેવાસીઓએ રાહતની લાગણી વ્યક્ત કરી છે. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે ડિમોલિશનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થળથી સુરક્ષિત અંતર જાળવે અને તંત્રને સહકાર આપે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ