ગીતા સંદેશ ભાગવત ગીતા – અધ્યાય 1: અર્જુન વિશાદ યોગ | શ્લોક 1
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ॥१॥
🍀ગુજરાતી ભાષાંતર:
ધૃતરાષ્ટ્રે કહ્યું:
"હે સંજય! ધર્મભૂમિ એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું?"
🍁સરળ સમજણ:
આ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક છે. અંધ રાજા ધૃતરાષ્ટ્ર પોતાના સારથી અને દ્રષ્ટા સંજયને પૂછે છે કે કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં કૌરવો અને પાંડવો ભેગા થયા પછી શું બન્યું.
અહીં 'ધર્મક્ષેત્ર' શબ્દ ખૂબ મહત્વનો છે. કુરુક્ષેત્ર માત્ર યુદ્ધભૂમિ જ નહોતું, પરંતુ પવિત્ર અને ધર્મની ભૂમિ માનવામાં આવતું હતું. ધૃતરાષ્ટ્રના મનમાં શંકા હતી કે આ પવિત્ર ભૂમિ પર તેના પુત્રોનું મન બદલાયું હશે કે કેમ. તેથી તે ઉત્સુકતાથી સંજયને પ્રશ્ન કરે છે.
આ શ્લોક સમગ્ર ભગવદ્ ગીતાની શરૂઆત કરે છે અને ધર્મ અને અધર્મ વચ્ચેના મહાસંઘર્ષની ભૂમિકા તૈયાર કરે છે.