જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં લાખોટા તળાવ વિસ્તારની ભૂગર્ભ ગટરની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર હરકતમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળ પર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું. | શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 500થી વધુ પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,950ને પાર; IT અને FMCG શેરોમાં ભારે ખરીદી. | ભાણવડના ઘુમલી ગામે 100થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ, દુબઈ સ્થિત મહિલા દાતાની સેવાભાવનાને બિરદાવાઈ. | હવે પ્લાસ્ટિકના કચરામાંથી બનશે વિમાનનું ઈંધણ! ચીનના વૈજ્ઞાનિકોની ક્રાંતિકારી શોધ. | જામજોધપુરમાં વન વિભાગની કાર્યવાહી: સસલાનો શિકાર કરવાનો પ્રયાસ કરતો શિકારી ઝડપાયો. | જામનગરમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ: કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે બાળાઓએ કરી પૂજા-અર્ચના. | મોડાસા ભાજપા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભાવસારની નિયુક્તિ. | તારીખ : ૨૭/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | લોકસભામાં આજે રજૂ થશે જાહેર પરીક્ષા સુધારા વિધેયક-2026', પેપર લીક અને નકલ સામે કડક કાયદાની તૈયારી | UG પરીક્ષા સુધારવા NTAની હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના, દેશના ટોચના નિષ્ણાતોને અપાઈ જવાબદારી |
પાછા મુખ્ય સમાચાર પર
રાજકારણ ૨૭ વાર જોવાયેલ 2 કલાક પેહલા

રાજકારણ મોડાસા ભાજપા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભાવસારની નિયુક્તિ.

મોડાસા ભાજપા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભાવસારની નિયુક્તિ.

મોડાસા ભારતીય જનતા પાર્ટી શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન કાર્તિકકુમાર ભાવસારની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિમણૂક બાદ ભાજપના કાર્યકરો, હોદ્દેદારો તેમજ ભાવસાર સમાજમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ભાજપા શહેર પ્રમુખ વિપુલ કડિયા, મહામંત્રી કેતન ત્રિવેદી અને મહામંત્રી કથન ભાવસારના માર્ગદર્શન અને આદેશથી આ નિયુક્તિ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. પાર્ટીએ મહિલા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સંગઠનાત્મક કામગીરીને વેગ આપવા આ નિર્ણય લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.

ચંદ્રિકાબેન ભાવસાર લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા રહી વિવિધ સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું.

નિયુક્તિની જાહેરાત બાદ ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ ભાવસાર સમાજના આગેવાનોએ ચંદ્રિકાબેન ભાવસારને અભિનંદન પાઠવી નવી જવાબદારી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ સંગઠનની વિચારધારાને વધુ મજબૂતીથી આગળ વધારશે અને મહિલા મોરચાની કામગીરીને નવી દિશા આપશે.

ચંદ્રિકાબેન ભાવસારે પક્ષના વરિષ્ઠ નેતાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પક્ષે તેમના પર મૂકેલા વિશ્વાસને તેઓ સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ સાથે સાર્થક બનાવવાનો પ્રયાસ કરશે. તેમણે સંગઠનના તમામ કાર્યકરો સાથે મળીને પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ