જાહેરાત
તાજા સમાચાર
બંગાળના ઈકબાલની દુર્લભ બીમારી જોઈ અનંત અંબાણી મદદે આવ્યા, એરલિફ્ટ કરી મુંબઈમાં સારવાર શરૂ | શ્રાવણના પ્રથમ સોમવારે જામનગરના શિવાલયોમાં ભક્તિમય માહોલ. | કે. અન્નામલાઈનો સરકાર પર પ્રહારઃ વિકાસ ગુજરાત કેન્દ્રિત થઈ રહ્યો છે | ISI સમર્થિત નેટવર્ક સામે મોટી કાર્યવાહી, ગુજરાત સહિત 13 રાજ્યોમાં દરોડા. | ગુજરાતમાં AI ઇકોસિસ્ટમને મળશે નવી ગતિઃ Automation Anywhere સાથે રૂ.100 કરોડ સુધીના સહયોગ માટે MoU. | ગુજરાત પોલીસનું સ્માર્ટ પોલિસિંગ તરફ મોટું પગલુંઃ 80 હજાર CCTV કેમેરા જોડવા દેશની સૌથી મોટી AI હેકાથોન. | લાખોટા લેકમાં 11 કાચબાના મોતથી ચકચારઃ દૂષિત પાણીની આશંકા, સેમ્પલ ગાંધીનગર મોકલાયા. | ભવનેશ્વર પાટિયા પાસે રહેણાક મકાનમાંથી રૂ.70 હજારનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો. | રાણપરની સીમમાં LCBની મોટી રેડઃ રૂ.13.27 લાખનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો. | શું ભૂકંપ આવતા પહેલા સંકેત મળે છે? વૈજ્ઞાનિકોના સંશોધનમાં સામે આવી રસપ્રદ પેટર્ન. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર શ્રાવણના પ્રથમ સોમવારે જામનગરના શિવાલયોમાં ભક્તિમય માહોલ.

શ્રાવણના પ્રથમ સોમવારે જામનગરના શિવાલયોમાં ભક્તિમય માહોલ.

શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે જામનગર શહેરના વિવિધ પ્રાચીન અને પૌરાણિક શિવાલયોમાં વિશેષ શણગાર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. ભક્તોએ વહેલી સવારથી જ શિવ મંદિરોમાં પહોંચી ભગવાન ભોળેનાથના વિવિધ સ્વરૂપોના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને શ્રી ઈચ્છેશ્વર મહાદેવ મંદિરમાં ગણપતિ સ્વરૂપ નટરાજના ભવ્ય દર્શન અને શ્રી બેડેશ્વર મહાદેવ મંદિરમાં મહાકાલેશ્વરાયના ચાંદી સ્વરૂપના દર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

 

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઈચ્છેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. અહીં ભગવાન નટરાજને ગણપતિ સ્વરૂપમાં શણગારવામાં આવ્યા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભક્તોએ મહાદેવના દર્શન કરી જળાભિષેક, પૂજા-અર્ચના અને આરતીમાં ભાગ લીધો હતો. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું.

 

આ ઉપરાંત બેડેશ્વર ખાતે આવેલા પ્રાચીન શ્રી બેડેશ્વર મહાદેવ મંદિરમાં પણ શ્રાવણના પ્રથમ સોમવારને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન મહાદેવને મહાકાલેશ્વરાયના ચાંદી સ્વરૂપમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ચાંદીના આકર્ષક સ્વરૂપમાં મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ બિલ્વપત્ર, ફૂલ, દૂધ અને જળ અર્પણ કરી ભગવાન શિવની આરાધના કરી હતી.

 

જામનગરના અન્ય શિવાલયોમાં પણ શ્રાવણ સોમવારની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભીમાશંકર મહાદેવ, લોહાણા મહાજનવાડી ખાતે આવેલા ગૌરીશંકર મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં પણ ભાવિકોએ ભગવાન શિવના દર્શન કરી પૂજા કરી હતી. વિવિધ મંદિરોમાં શિવલિંગનો વિશેષ શણગાર, અભિષેક, આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા શહેર જાણે શિવભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

 

શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની આરાધનાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી પ્રથમ સોમવારથી જ જામનગરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ શિવાલયોમાં સવારથી મોડી સાંજ સુધી દર્શનાર્થીઓનો પ્રવાહ રહ્યો હતો. મહાદેવના વિવિધ અલૌકિક સ્વરૂપોના દર્શન કરી ભક્તોએ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. શ્રાવણના પ્રથમ સોમવારે જામનગરના શિવાલયોમાં સર્જાયેલો આ ભક્તિમય માહોલ આગામી સોમવારો દરમિયાન પણ યથાવત રહેવાની ભક્તોમાં શ્રદ્ધા જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ