જાહેરાત
તાજા સમાચાર
જામનગરના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સઘન ચેકિંગથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત. | તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ | KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ | જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. | જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસની વાહન ચેકિંગ કામગીરી, ૯ વાહનો ડિટેઇન. | ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૬ વાર જોવાયેલ 44 મિનિટ પેહલા

ટૉપ ન્યૂઝ KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ

KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ

ખોટા દાવા, ભ્રામક જાહેરાતો અને લેબલિંગ નિયમોના ભંગ સામે FSSAIની મોટી કાર્યવાહી

ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા અને ગ્રાહકોને આપવામાં આવતી માહિતીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે FSSAI દ્વારા દેશભરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેસ્લે, પેપ્સીકો, કોકા-કોલા, KFC અને મેકડોનાલ્ડ્સ સહિતની જાણીતી બ્રાન્ડ્સને નિયમોના કથિત ભંગ બદલ 150થી વધુ નોટિસ ફટકારવામાં આવી છે.

FSSAIની તપાસમાં ખાદ્ય ઉત્પાદનો અંગે કરવામાં આવતા ખોટા અથવા ભ્રામક દાવા, જાહેરાતો તથા લેબલિંગ સંબંધિત નિયમોના ઉલ્લંઘન જેવા મુદ્દાઓ સામે આવ્યા હોવાનું જણાવાયું છે. ગ્રાહકોને કોઈપણ ખાદ્ય વસ્તુ અંગે સાચી અને સ્પષ્ટ માહિતી મળી રહે તે માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એમેઝોનના વેરહાઉસનું લાઈસન્સ રદ

આ કાર્યવાહી દરમિયાન એમેઝોનના એક વેરહાઉસનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. જ્યારે ડોમિનોઝના પાંચ આઉટલેટ્સના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

FSSAIની આ કાર્યવાહીથી ખાદ્ય ક્ષેત્રની મોટી બ્રાન્ડ્સમાં પણ નિયમોનું પાલન વધુ કડકાઈથી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી માહિતી નહીં ચાલે

FSSAIએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખાદ્ય સુરક્ષા સાથે બેદરકારી, ખોટા દાવા કે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી માહિતી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. ખાદ્ય ઉત્પાદકો અને વેચાણકારોએ ગુણવત્તા, સલામતી અને લેબલિંગના નિર્ધારિત નિયમોનું પાલન કરવું પડશે.

આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા ઉપરાંત બજારમાં ખાદ્ય ઉત્પાદનો અંગે પારદર્શિતા અને વિશ્વાસ જાળવવાનો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ