ધર્મ વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, ૧૦૮ કલાકારોના ડમરુના નાદથી ગુંજી ઊઠી ઐતિહાસિક નગરી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડમરુ યાત્રા અને હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પ્રારંભ કરાવ્યો; શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી શિવભક્તિનો અનોખો માહોલ
મહેસાણા, તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૬: ઐતિહાસિક નગરી વડનગરમાં આજે વહેલી સવારથી જ ભક્તિ, સંસ્કૃતિ અને વિરાસતનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારેથી કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરી ભવ્ય **‘ડમરુ યાત્રા’**ને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે પોતે ડમરુ વગાડીને યાત્રાનો પ્રારંભ કરાવતા સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે વડનગરની ઐતિહાસિક ધરતી પર યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

ડમરુ યાત્રાનું સૌથી મોટું આકર્ષણ ૧૦૮ નિષ્ણાત કલાકારો દ્વારા કરવામાં આવેલું એકસાથે ડમરુ વાદન રહ્યું હતું. ૧૦૮ કલાકારોના ડમરુના ગુંજતા નાદથી વડનગરની શેરીઓ અને માર્ગો શિવભક્તિના નાદથી ગુંજી ઊઠ્યા હતા. ડમરુના તાલ સાથે યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી આ યાત્રા અર્જુન બારી, ભગતના ગલ્લા અને જુના ચાચરેથી પસાર થઈ હતી. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈને યાત્રા સુપ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. સમગ્ર રૂટ પર નગરજનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિવભક્તિના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સમગ્ર યાત્રામાં સહભાગી બન્યા હતા અને નગરજનોનો ઉત્સાહ વધાર્યો હતો. યાત્રા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા બાદ તેમણે ભગવાન હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓને પ્રસાદ તેમજ શિવ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડનગરના સાંસ્કૃતિક વારસા અને શિવભક્તિની પરંપરાને બિરદાવતા જણાવ્યું હતું કે શ્રાવણોત્સવ ભક્તિ અને કલાના સંગમ દ્વારા વડનગરને વિશાળ સ્તરે નવી ઓળખ અપાવવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહ્યો છે. ૧૦૮ કલાકારોનું ડમરુ વાદન માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ વડનગરની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને લોકકલાનું પણ સુંદર પ્રદર્શન બની રહ્યું હતું.
ધાર્મિક કાર્યક્રમ બાદ વડનગરના ઐતિહાસિક વારસા અને પ્રવાસનને વધુ વેગ મળે તે હેતુથી ‘વડનગર હેરિટેજ ઓટો રિક્ષા’ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે હેરિટેજ ઓટોરિક્ષામાં સવારી કરીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો. આ સેવા દ્વારા વડનગરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને શહેરની વિરાસતને વધુ સરળતાથી નિહાળવાની તક મળશે. વડનગરની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક પરંપરાઓને પ્રવાસન સાથે જોડવાના પ્રયાસ તરીકે આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કાર્યક્રમ બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કામો અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી.

આ ભવ્ય શ્રાવણોત્સવના પ્રારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તેમજ વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શુભમભાઈ શાહ, કમલભાઈ, વરિષ્ઠ અધિકારી રાજકુમાર બેનિવાલ, કુલદીપ આર્ય, જિલ્લા કલેક્ટર શાલિની દુહાન સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. આમ, ૧૦૮ કલાકારોના ડમરુના નાદ, શિવભક્તિના જયઘોષ અને ઐતિહાસિક સ્થળોની સાક્ષીમાં વડનગરનો શ્રાવણોત્સવ ભક્તિ અને વિરાસતના ભવ્ય સંગમ તરીકે શ