જાહેરાત
તાજા સમાચાર
વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, ૧૦૮ કલાકારોના ડમરુના નાદથી ગુંજી ઊઠી ઐતિહાસિક નગરી. | એક લાખ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપશે ગુજરાત સરકાર, 250થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ જોડાશે. | પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: ગૌવંશ તસ્કરી અને હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે ગુજસીટોક. | જામનગર જિલ્લાના ૧૨ દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ, ૯ ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે. | ‘TIP’નો ખેલ ખતમ! કેબ બુકિંગ પહેલાં નહીં આપી શકાય એડવાન્સ ટિપ, કેન્દ્રનો મોટો આદેશ. | સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 24,350ની આસપાસ; બેન્કિંગ અને IT શેરોમાં વેચવાલી. | ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ABVPનું જામનગરમાં પ્રદર્શન. | ભારતીય નૌકાદળને રૂ. 18,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘કામિકાઝ’ ડ્રોનની મંજૂરી. | બંગાળની ખાડીમાં નવી વેધર સિસ્ટમ સક્રિય, ફરી મૂશળધાર વરસાદની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ. | જામનગરના દિગ્જામ સર્કલ પાસે ખુલ્લી કેનાલ જોખમી બની, તૂટેલી લોખંડની જાળીથી અકસ્માતનો ભય. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૫ વાર જોવાયેલ 53 મિનિટ પેહલા

મારું ગુજરાત એક લાખ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપશે ગુજરાત સરકાર, 250થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ જોડાશે.

એક લાખ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપશે ગુજરાત સરકાર, 250થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ જોડાશે.

‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ હેઠળ 2026-27માં એક લાખ યુવાનોને તાલીમનો લક્ષ્યાંક; AI, રોબોટિક્સ, EV, સાયબર સિક્યુરિટી સહિતના ક્ષેત્રોમાં ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકસાવાશે

ગાંધીનગર: ગુજરાતના યુવાનોને બદલાતા ઔદ્યોગિક અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે તૈયાર કરવા રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલા ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ (NGKRM) હેઠળ ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન એક લાખથી વધુ યુવાનોને ઉદ્યોગલક્ષી અને ભવિષ્યલક્ષી કૌશલ્ય તાલીમ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ મિશનના ભાગરૂપે ‘ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ્સ ફોર એડવાન્સ્ડ સ્કિલ્સ’ એટલે કે GIAS હેઠળ તાલીમનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ પહેલમાં ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓને સીધી ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 250થી વધુ સંસ્થાઓએ તાલીમ કાર્યક્રમો માટે રસ દાખવી પ્રસ્તાવો રજૂ કર્યા છે.

સરકારના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્કિલિંગ, રિ-સ્કિલિંગ અને અપ-સ્કિલિંગ’ના અભિગમને આગળ વધારતા આ મિશન દ્વારા યુવાનોને માત્ર પરંપરાગત તાલીમ નહીં પરંતુ ઉદ્યોગોની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરવામાં આવશે. આ માટે હેલ્થકેર, બાંધકામ, IT-ITeS, ઈલેક્ટ્રોનિક્સ, પ્રવાસન, લોજિસ્ટિક્સ, એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ અને મીડિયા સહિતના 20 પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો પસંદ કરવામાં આવ્યા છે. તેની સાથે AI, રોબોટિક્સ, ઈલેક્ટ્રિક વાહનો, બ્લોકચેન, સાયબર સિક્યુરિટી, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ડેટા સાયન્સ અને ડ્રોન ટેક્નોલોજી જેવા 12 ઉભરતા ટેક્નોલોજી ક્ષેત્રોમાં પણ તાલીમ આપવામાં આવશે. L&T, આર્સેલર મિત્તલ ગ્રુપ, મારુતિ સુઝુકી સાથે સંકળાયેલ International Automobile Centre of Excellence, Tata Indian Institute of Skills, ગણપત યુનિવર્સિટી સહિત 250થી વધુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓએ આ કાર્યક્રમમાં જોડાવા માટે પ્રસ્તાવો આપ્યા છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના જણાવ્યા મુજબ GIAS હેઠળ નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક એટલે કે NSQFના લેવલ 1થી 8 સુધીના ટૂંકા અને લાંબા ગાળાના વ્યાવસાયિક અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તાલીમ રહેણાંક, બિન-રહેણાંક, અગાઉના શિક્ષણની માન્યતા એટલે કે RPL તથા અન્ય મંજૂર મોડલ દ્વારા આપવામાં આવશે. આ યોજનાનો લાભ 14થી 59 વર્ષની વયના પાત્ર લોકો, મહિલાઓ, ઈ-શ્રમ અને ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો, હાલના ઔદ્યોગિક કર્મચારીઓ, અપસ્કિલિંગ કે રિસ્કિલિંગ કરવા માંગતા લોકો, આર્થિક રીતે નબળા વર્ગો અને કૌશલ્ય આધારિત રોજગાર શોધતા બેરોજગાર લોકોને મળી શકશે. તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે અને સફળતાપૂર્વક સર્ટિફિકેશન મેળવ્યા બાદ પાત્ર તાલીમાર્થીને દર 120 કલાકની તાલીમ માટે રૂ.500ની સીધી નાણાકીય સહાય DBT મારફતે આધાર-લિંક બેંક ખાતામાં આપવામાં આવશે.

તાલીમની ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકારે કડક મોનિટરિંગ સિસ્ટમ પણ તૈયાર કરી છે. તાલીમ કેન્દ્રોમાં જિયો-ફેન્સિંગ, ફેસ રેકગ્નાઇઝેશન આધારિત બાયોમેટ્રિક હાજરી, 90 દિવસના વિડિયો સ્ટોરેજ સાથે CCTV, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, પ્રમાણિત ટ્રેનર્સ અને ઉદ્યોગના ધોરણો અનુસાર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફરજિયાત રહેશે. તાલીમાર્થીઓની નોંધણીથી લઈને હાજરી, મૂલ્યાંકન, સર્ટિફિકેશન અને પ્લેસમેન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયાનું ડિજિટલ પ્લેટફોર્મ મારફતે મોનિટરિંગ કરવામાં આવશે. તાલીમ આપતી સંસ્થાઓને પણ કામગીરીના આધારે ચુકવણી કરવામાં આવશે, એટલે કે નોંધણી ઉપરાંત તાલીમાર્થીઓના સર્ટિફિકેશન અને પ્લેસમેન્ટના પરિણામોને ચૂકવણી સાથે જોડવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન તાલીમ સંસ્થાઓનું એમ્પેનલમેન્ટ સતત ખુલ્લું રહેશે અને પસંદ થયેલા ભાગીદારોને ત્રણ વર્ષ માટે પેનલમાં સ્થાન આપવામાં આવશે.

ગુજરાત સરકારનું આ મિશન માત્ર એક લાખ યુવાનોને તાલીમ આપવા પૂરતું મર્યાદિત નથી. આગામી તબક્કામાં તાલીમની ક્ષમતા વધારીને વાર્ષિક પાંચ લાખ તાલીમાર્થીઓ સુધી પહોંચાડવાની યોજના છે. ખાસ કરીને યુવાનો ઉપરાંત મહિલાઓ, અનુસૂચિત જાતિ-જનજાતિ સમુદાયો, દિવ્યાંગ વ્યક્તિઓ, કારીગરો, અનૌપચારિક ક્ષેત્રના કામદારો, સ્થળાંતરિતો અને અન્ય વંચિત વર્ગોને કૌશલ્ય વિકાસ સાથે જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સરકારનો દાવો છે કે ઉદ્યોગોની સીધી ભાગીદારીથી તાલીમ અને રોજગાર વચ્ચેનું અંતર ઘટશે અને તાલીમ લીધેલા યુવાનોને બજારની જરૂરિયાત પ્રમાણે રોજગારની તકો મળી શકશે. ‘વિકસિત ગુજરાત @2047’ના વિઝન સાથે જોડાયેલી આ પહેલ ગુજરાતને ઉદ્યોગસંકલિત અને વૈશ્વિક ધોરણો ધરાવતા કુશળ કાર્યબળનું કેન્દ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ