જાહેરાત
તાજા સમાચાર
ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. | સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા. | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. | જાણો, તા. 24 ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૧૫ વાર જોવાયેલ 3 અઠવાડિયા પેહલા

ટૉપ ન્યૂઝ જામનગર ST વિભાગમાં ડ્રાઇવર હનીફભાઈ મુદ્રાખની નિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારોહ યોજાયો

જામનગર ST વિભાગમાં ડ્રાઇવર હનીફભાઈ મુદ્રાખની નિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારોહ યોજાયો

જામનગર એસટી વિભાગના જામનગર ડેપો વર્કશોપ ખાતે વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા ડ્રાઇવર શ્રી હનીફભાઈ જે. મુદ્રાખનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહ વિભાગીય નિયામકશ્રી બી.સી. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક ફરજ બજાવનાર હનીફભાઈને અધિકારીઓ, કર્મચારીઓ અને સંગઠનના આગેવાનો દ્વારા ભાવભીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વિદાય સમારોહમાં જામનગર એસટી વિભાગના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિભાગીય યાંત્રિક ઈજનેરશ્રી એસ.કે. કલોલા, ઇન્ચાર્જ ડેપો મેનેજરશ્રી શીખાબેન પંડ્યા, હેડ મિકેનિક મનોજભાઈ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જામનગર વિભાગ એસટી મજૂર સંઘના મહામંત્રી ભીમશીભાઈ ચાવડા, લાઈન ચેકિંગ ઇન્ચાર્જ અને સંઘના ઉપપ્રમુખ સંજયભાઈ ડોડીયા, સહમંત્રી હિતેન્દ્રસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી સોલંકીભાઈ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ હનીફભાઈ મુદ્રાખની લાંબી સેવા યાત્રાને બિરદાવી હતી. તેમણે એસટી નિગમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતી વખતે પોતાની જવાબદારી, સમયપાલન અને મુસાફરો પ્રત્યેની સેવાભાવનાની પ્રશંસા કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે, એક કર્મચારી તરીકે હનીફભાઈએ નિષ્ઠા અને ઈમાનદારી સાથે ફરજ બજાવી છે, જે અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે.

આ પ્રસંગે લાઈન ચેકિંગ સ્ટાફ, ટી.આઈ. અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ટી.આઈ. કાપડીભાઈ, ટી.આઈ. મઢવીભાઈ, એ.ટી.આઈ. રાજેન્દ્ર ગોસાઈ, કે.પી. જાડેજા, મનસુખભાઈ લૈયા સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત અન્ય સંગઠનોના આગેવાનો જીતેન્દ્રસિંહ જાડેજા,શિવભદ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિદાય સમારોહ દરમિયાન હનીફભાઈ મુદ્રાખનું ઉપસ્થિત તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. પરિવારજનો અને સંબંધીઓની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સૌએ હનીફભાઈના નિવૃત્ત જીવન માટે સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભકામનાઓ પાઠવી હતી.

સમારોહના અંતે હનીફભાઈએ પણ એસટી વિભાગમાં મળેલા સહકાર અને સન્માન બદલ અધિકારીઓ, સહકર્મચારીઓ તથા સંગઠનના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. લાંબી સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થતા કર્મચારીને આપવામાં આવેલ આ વિદાય સમારોહ ભાવનાત્મક વાતાવરણમાં સંપન્ન થયો હતો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ