જાહેરાત
તાજા સમાચાર
જામનગર-ધ્રોલ માર્ગે ખનીજ વિભાગનો સપાટો: ૬ ડમ્પર સહિત રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે. | ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભયાનક અકસ્માત: લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા 13 લોકોના મોત | જામજોધપુરના મોટી ગોપ પાસે રેઢી પડેલી કારમાંથી ૫૮૮ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો અંધારાનો લાભ લઈ આરોપી ફરાર: પોલીસે રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો. | જામનગર જિલ્લા પુસ્તકાલયમાં વિમાન નિર્માતા મનુભાઈ પારેખની તસવીરનું અનાવરણ. | રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટ સક્રિય: કેન્દ્ર, યુપી સરકાર અને મંદિર ટ્રસ્ટને નોટિસ, SIT પાસેથી માંગ્યો સ્ટેટસ રિપોર્ટ | ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત: લોર્ડ્સમાં પ્રથમ મહિલા ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું | જામનગરમાં પુત્રીએ જ વૃદ્ધ માતાને ઘર-દુકાનમાંથી કાઢી મૂકી મિલકત પર કબજો કર્યો માતાને લખનૌ બોલાવી પાછળથી જામનગર આવી કબજો જમાવ્યાનો આક્ષેપ. | હડાદ તાલુકામાં PM પોષણ યોજનાના ૨ કેન્દ્રો માટે સંચાલકોની ભરતી ૨૪ જુલાઈ સુધી સ્થાનિક લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ. | અંબાજી મંદિરમાં અષાઢ સુદ બીજ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર. | જામનગરમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: રૂ.૨૦ હજારના બદલામાં રૂ.૪૩ હજાર ચૂકવ્યા છતાં વધુ રૂ.૩૦ હજારની માંગણી. |
પાછા મુખ્ય સમાચાર પર
ધર્મ ૫૬ વાર જોવાયેલ એક કલાક પેહલા

ધર્મ અંબાજી મંદિરમાં અષાઢ સુદ બીજ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર.

અંબાજી મંદિરમાં અષાઢ સુદ બીજ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર.

અંબાજી: શક્તિપીઠ અંબાજી મંદિરે અષાઢ સુદ બીજના પાવન અવસરને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓ અને ભક્તોની સુવિધા માટે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ આગામી તા. 16 જુલાઈ 2026, ગુરુવારના રોજ માતાજીની આરતી અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યા અનુસાર, અષાઢ સુદ બીજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે અંબાજી પહોંચતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ભક્તોને સરળતાથી દર્શન મળી રહે અને કોઈ અગવડતા ન સર્જાય તે માટે આરતી અને દર્શનના સમયમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા સમયપત્રક મુજબ સવારે માતાજીની આરતીનો સમય સવારે 7:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ભક્તો માટે સવારે 8:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સવારે દર્શન પૂર્ણ થયા બાદ મંદિરના નિયમ મુજબ 11:30 થી 12:00 વાગ્યા સુધી મંદિર મંગળ રહેશે.

ત્યારબાદ બપોરે 12:00 થી 12:30 વાગ્યા સુધી રાજભોગનો સમય રહેશે. રાજભોગ બાદ બપોરના દર્શનનો સમય 12:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન ભક્તો માતાજીના દર્શન કરી શકશે.

સાંજના સમયે માતાજીની આરતીનો સમય 7:00 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી રહેશે. જ્યારે રાત્રિના દર્શન માટે મંદિર 7:30 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી દ્વારા જાહેર અખબારી યાદી મારફતે ભક્તો અને જાહેર જનતાને આ નવા સમયપત્રકની નોંધ લેવા અપીલ કરવામાં આવી છે. તેમજ યાત્રાળુઓએ દર્શન માટે આવતા પહેલા નવા સમયનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તોની હાજરી રહેવાની સંભાવના છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા, વ્યવસ્થા અને સુચારુ દર્શન માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ