જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
રાજકારણ ૪૭ વાર જોવાયેલ એક મહિનો પેહલા

રાજકારણ સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિજયભાઈ સોલંકીની નિમણૂક.

સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિજયભાઈ સોલંકીની નિમણૂક.

સુત્રાપાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રમુખ તરીકે લાટી ગામના યુવા આગેવાન વિજયભાઈ સોલંકીની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક બાદ તાલુકાભરના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વિવિધ કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

વિજયભાઈ સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના સંગઠન સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. સંગઠનને મજબૂત બનાવવા, પક્ષના કાર્યક્રમોને ગામડાં સુધી પહોંચાડવા તેમજ વિવિધ સામાજિક અને જનહિતના કાર્યોમાં તેમની સક્રિય ભૂમિકાને ધ્યાનમાં રાખીને પક્ષના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા તેમને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

નિમણૂક બાદ વિજયભાઈ સોલંકીએ પક્ષના વરિષ્ઠ નેતાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પક્ષે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને જાળવી રાખવા માટે તેઓ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરશે. તેમણે જણાવ્યું કે તાલુકાના તમામ કાર્યકરોને સાથે રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનું તેમનું મુખ્ય લક્ષ્ય રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા, સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે. સાથે જ તાલુકાના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યકરો સાથે સંકલન કરીને સેવા અને વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.

વિજયભાઈ સોલંકીની નિમણૂકને લઈને તાલુકાના ભાજપ કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. કાર્યકરોએ આશા વ્યક્ત કરી છે કે તેમના નેતૃત્વ હેઠળ સુત્રાપાડા તાલુકામાં સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી સમયમાં પક્ષને વધુ સફળતા મળશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ