જાહેરાત
તાજા સમાચાર
જામનગરના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સઘન ચેકિંગથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત. | તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ | KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ | જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. | જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસની વાહન ચેકિંગ કામગીરી, ૯ વાહનો ડિટેઇન. | ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૧૮ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું શહેર જામખંભાળિયા એસટી ડેપોમાં એટીઆઈ ડોલરભાઈ દવે અને કંડકટર મનસુખભાઈ સોનગરાનો ભવ્ય નિવૃત્તિ સમારંભ યોજાયો.

જામખંભાળિયા એસટી ડેપોમાં એટીઆઈ ડોલરભાઈ દવે અને કંડકટર મનસુખભાઈ સોનગરાનો ભવ્ય નિવૃત્તિ સમારંભ યોજાયો.

જામખંભાળિયા એસટી ડેપો ખાતે આજે લાંબી અને નિષ્ઠાપૂર્વકની સરકારી સેવા પૂર્ણ કરનાર એટીઆઈ શ્રી ડોલરભાઈ દવે તથા કંડકટર શ્રી મનસુખભાઈ સોનગરાના સન્માનમાં ભવ્ય નિવૃત્તિ સમારંભનું આયોજન, લાગણીસભર વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારી આગેવાનો, સહકર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહી નિવૃત્ત કર્મચારીઓને ભાવભીની વિદાય પાઠવી, 

કાર્યક્રમમાં વિભાગીય પરિવહન અધિકારી શ્રી ઈશરાણી સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત, તેમની સાથે જામખંભાળિયા ડેપોના ડેપો મેનેજર શ્રી ઠુંમર સાહેબ, દ્વારકા ડેપોના ડેપો મેનેજર શ્રી મિલનભાઈ રાઠોડ સહિત એસટી વિભાગના અનેક અધિકારીઓ હાજર, મહાનુભાવોએ નિવૃત્ત થતા બંને કર્મચારીઓની વર્ષો સુધીની નિષ્ઠાવાન, પ્રામાણિક અને જવાબદારીસભર સેવાઓને બિરદાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી,

જામનગર વિભાગ એસટી મજૂર સંઘના મહામંત્રી શ્રી ભીમશીભાઈ ચાવડા, સહમંત્રી શ્રી હિતેશભાઈ ગઢવી, શ્રી દેવદાનભાઈ ગઢવી, શ્રી અરજણભાઈ ગાગીયા, શ્રી મનોજ ચોપડા, શ્રી પી.એમ. પરમાર, શ્રી દીપેશ સોનગરા, શ્રી જાદવજી સોનગરા, શ્રી દયાળજીભાઈ જાદવ, શ્રી ભાવેશભાઈ બારોટ સહિત મજૂર સંઘના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી નિવૃત્ત કર્મચારીઓના કાર્યકાળને યાદગાર ગણાવ્યો. વક્તાઓએ જણાવ્યું કે સરકારી સેવામાં પ્રામાણિકતા, સમયપાલન અને ફરજનિષ્ઠા એ જ સાચી મૂડી ગણાય અને બંને કર્મચારીઓએ પોતાના સમગ્ર સેવાકાળ દરમિયાન આ મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ...

 

સમારંભ દરમિયાન નિવૃત્ત થતા શ્રી ડોલરભાઈ દવે અને શ્રી મનસુખભાઈ સોનગરાનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ સ્મૃતિચિહ્ન ભેટ આપી સન્માન કરવામાં આવ્યું, ઉપસ્થિત મહાનુભાવોએ તેમના સેવાકાળના સંસ્મરણો વાગોળ્યા અને તેમના કાર્યપ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી, નિવૃત્ત કર્મચારીઓએ પણ સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે એસટી પરિવાર તરફથી મળેલો પ્રેમ અને સહયોગ જીવનભર યાદગાર બની રહેશે,

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓ, કાર્યકર્તાઓ, મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા, સૌએ નિવૃત્ત બંને કર્મચારીઓને સ્વસ્થ, સુખમય અને દીર્ઘાયુષ્યભર્યા નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી. સમગ્ર કાર્યક્રમ લાગણીસભર અને સન્માનપૂર્ણ વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન બન્યો....

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ