જાહેરાત
તાજા સમાચાર
ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી, રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર. | શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. | ગાંધીનગરમાં વિકાસનો ઉત્સવ: એક જ દિવસમાં રૂ.1,848 કરોડના વિકાસકાર્યોની ભેટ. | PM-કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા વાર્ષિક e-KYC ફરજિયાત. | જામનગરના વોર્ડ નં. ૨માં રૂ.૩૦ લાખના ખર્ચે ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ’નું લોકાર્પણ. | ભાણવડના ગરાસ સીમમાં જુગારના અખાડા પર પોલીસનો દરોડો, 8 આરોપી ઝડપાયા. | VPDO ભરતી કૌભાંડમાં EDના દરોડા બાદ હરીશ રાવતે CWCમાંથી આપ્યું રાજીનામું | ભાવનગરમાં ઝેરી દારૂથી વધુ એક મોત, બે સામે હત્યાનો ગુનો | જૂનાગઢ પોલીસમાં મોટો ફેરફાર, 17 અધિકારીઓની આંતરિક બદલી | ધ્રોલ-વાગુદળ રોડ પર અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૩ વાર જોવાયેલ 38 મિનિટ પેહલા

મારું ગુજરાત PM-કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા વાર્ષિક e-KYC ફરજિયાત.

PM-કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા વાર્ષિક e-KYC ફરજિયાત.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આગામી હપ્તાની ચુકવણી પહેલાં હવે દર વર્ષે e-KYC કરાવવું ફરજિયાત રહેશે. કૃષિ વિભાગની યાદી મુજબ, દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલાં લાભાર્થી ખેડૂતોએ નિયત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

યોજનાનો લાભ યોગ્ય અને પાત્ર ખેડૂતોને સમયસર મળી રહે તે હેતુથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે 31 માર્ચ, 2026 પછી e-KYC કરાવેલ ન હોય, પરંતુ પોર્ટલ પર સ્ટેટસમાં “eKYC: Yes” દર્શાવાતું હોય તેવા લાભાર્થીઓએ પણ ફરીથી e-KYC કરાવવું પડશે.

ખેડૂતોની સુવિધા માટે e-KYC પૂર્ણ કરવા ચાર સરળ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ હેઠળ ખેડૂત પોતે PM-Kisan મોબાઇલ એપ્લિકેશનમાં “Login” બાદ “Beneficiary” વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યારબાદ આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને ફેસ ઓથેન્ટિકેશન મારફતે પોતાનું e-KYC પૂર્ણ કરી શકશે.

આ ઉપરાંત, PM-Kisan એપમાં “e-KYC for other beneficiaries” વિકલ્પનો ઉપયોગ કરીને એક લાભાર્થી અન્ય 100 લાભાર્થીઓનું પણ e-KYC કરી શકે છે. આ સુવિધા ખાસ કરીને ગામડાઓમાં ખેડૂતોને એકબીજાની મદદથી પ્રક્રિયા પૂર્ણ કરવામાં ઉપયોગી બની શકે છે.

બીજા વિકલ્પ તરીકે ખેડૂત ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરી ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી e-KYC કરાવી શકે છે. ત્રીજા વિકલ્પ હેઠળ ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC ખાતે જઈને પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.

ચોથા વિકલ્પ તરીકે ખેડૂત તાલુકા અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરી બાયોમેટ્રિક e-KYC કરાવી શકે છે. અન્ય ગામ કે શહેરમાં સ્થળાંતરિત થયેલા ખેડૂત લાભાર્થીઓ હાલ જ્યાં રહે છે ત્યાંથી પણ ઉપરોક્ત ચાર પૈકી કોઈપણ અનુકૂળ પદ્ધતિ દ્વારા e-KYC પૂર્ણ કરી શકશે.

સરકાર દ્વારા તમામ ખેડૂત લાભાર્થીઓને e-KYCની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી આગામી નાણાકીય સહાયનો હપ્તો મેળવવામાં કોઈ અવરોધ ઊભો ન થાય. ખેડૂતોએ પોતાના PM-Kisan પોર્ટલ પર e-KYCનું સ્ટેટસ તપાસી જરૂરી કાર્યવાહી સમયસર કરવી જરૂરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ