જાહેરાત
તાજા સમાચાર
બહુચરાજી શક્તિપીઠે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા દર્શન, રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના. | કેશોદમાં ઘરફોડ અને બાઇક ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ, ચાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા. | જોડીયા તાલુકાના બાદનપર ગામે જુગાર પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 9 જુગારીઓ ઝડપાયા. | તારીખ : ૩૦/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | AI ‘જૂઠું બોલવા’ અને ‘મનમાની’ કરવા લાગ્યું? દાવાઓ વચ્ચે હકીકત શું છે? | ઘુમલી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના વનમહોત્સવની ભવ્ય ઉજવણી, વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ. | ગુજરાત પોલીસમાં લોકરક્ષકની 3,000 જગ્યાઓ પર ભરતી, અરજીથી પરીક્ષા સુધીનો સંભવિત કાર્યક્રમ જાહેર. | કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત, વર્ક પરમિટ પ્રક્રિયા માટે હવે મળશે 90 દિવસનો સમય. | અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખેલાડીઓ અને કોચનું સન્માન. | રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ: ગુજરાતમાં MSME ક્ષેત્રને બેન્કિંગ ક્ષેત્રનો મજબૂત ટેકો, ₹3.79 લાખ કરોડનું ધિરાણ. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૧૧ વાર જોવાયેલ 54 મિનિટ પેહલા

સબરસ બહુચરાજી શક્તિપીઠે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા દર્શન, રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના.

બહુચરાજી શક્તિપીઠે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા દર્શન, રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના.

બહુચરાજી: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શનિવારે સાંજે સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પહોંચીને મા બહુચરના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર મા આદ્યશક્તિની પૂજા-અર્ચના કરી હતી. દર્શન બાદ તેમણે રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને સમૃદ્ધિ માટે અંતઃકરણપૂર્વક પ્રાર્થના વ્યક્ત કરી હતી. તેમણે બહુચરાજી શક્તિપીઠની પવિત્રતા અને લાખો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા પ્રત્યે પણ આદર વ્યક્ત કર્યો હતો.

 

મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન બહુચરાજી મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં સુરક્ષા અને વ્યવસ્થાના ખાસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિતના મહાનુભાવોએ પણ મા બહુચરના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે જ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીની આ ધાર્મિક મુલાકાતને લઈને મંદિર પરિસરમાં ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. મુલાકાત દરમિયાન મંદિરની પરંપરા મુજબની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી અને રાજ્યના સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ