મારું શહેર જામનગર એસટી ડેપોના નિવૃત્ત ડ્રાઈવર જે.ડી. ગોહિલનું સન્માન.
જામનગર એસટી ડેપોના ડ્રાઈવર શ્રી જે.ડી. ગોહિલ નિવૃત્ત થતાં તેમના માન-સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જામનગર વિભાગ એસટી મજૂર સંઘના હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં તેમને ભાવભીનુ વિદાય સન્માન આપવામાં આવ્યું.
આ પ્રસંગે જામનગર વિભાગ એસટી મજૂર સંઘના મહામંત્રી ભીમશીભાઈ ચાવડા, પ્રદેશ મંત્રી રાજદીપસિંહ ગોહિલ, કાર્યાલય મંત્રી સોલંકીભાઈ, આગેવાન વાળા ભાઈ, આગેવાન સુરેશભાઈ પરમાર, આગેવાન રાકેશગીરી તથા આગેવાન લગધીરસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત ડ્રાઈવર શ્રી જે.ડી. ગોહિલને મા આશાપુરાની છબી અર્પણ કરવામાં આવી હતી તેમજ શાલ ઓઢાડીને તેમના લાંબા અને નિષ્ઠાપૂર્વકના સેવાકાળની કદરરૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ તેમના ઉજ્જવળ સ્વાસ્થ્ય અને સુખમય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.