મારું શહેર જામનગર લોકમેળામાં ફાયર સેફ્ટી અંગે ફાયર વિભાગનું સઘન ચેકિંગ.
જામનગરમાં ચાલી રહેલા લોકમેળામાં આજે ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર સેફ્ટીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેળામાં આગ જેવી કોઈપણ આકસ્મિક ઘટના ન બને અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત રહે તે હેતુથી વિવિધ સ્ટોલ, ફૂડ ઝોન, ઇલેક્ટ્રિકલ કનેક્શન તેમજ અગ્નિશામક સાધનોની તપાસ કરવામાં આવી હતી.
ફાયર વિભાગના અધિકારીઓએ સ્ટોલ સંચાલકોને આગથી બચાવ માટે જરૂરી સાવચેતી રાખવા, ફાયર એક્સટિંગ્વિશર કાર્યરત સ્થિતિમાં રાખવા તેમજ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોવાથી સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા સમયાંતરે આવી ચકાસણી ચાલુ રાખવામાં આવશે જેથી મેળામાં આવતા મુલાકાતીઓ સુરક્ષિત વાતાવરણમાં મેળાનો આનંદ માણી શકે.