જાહેરાત
તાજા સમાચાર
જામનગર નજીક ભોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ, સેવા કેમ્પોમાં પણ ઉમટ્યા શ્રદ્ધાળુઓ. | જામનગર નજીક કાર અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત, અનેક ઘાયલ. | તારીખ : ૩૧/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | આજનો ઈતિહાસ : 31 ઓગસ્ટ | આજનો ઈતિહાસ : 31 ઓગસ્ટ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૨૧ | ભારત-ભુતાન વચ્ચે બનશે નવી રેલવે લાઇન, ₹3,500 કરોડના પ્રોજેક્ટથી ભુતાન સીધું ભારતીય રેલ નેટવર્ક સાથે જોડાશે. | ભાણવડના ઘુમલી વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે યુવક ઝડપાયો. | ગુજરાતમાં નવજાત શિશુઓના મૃત્યુમાં વધારો, 2024માં 12,492 બાળકોના મોતથી ચિંતા. | બહુચરાજી શક્તિપીઠે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા દર્શન, રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૫ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર જામનગર નજીક કાર અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત, અનેક ઘાયલ.

જામનગર નજીક કાર અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત, અનેક ઘાયલ.

જામનગર શહેર નજીક ગત મોડી રાત્રે ભોળેશ્વર મહાદેવ મંદિરથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી ઓટોરિક્ષા ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં બાઈક ચાલક સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાળકો અને મહિલાઓ સહિત સાતથી આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.

 

પ્રાથમિક માહિતી અનુસાર, જામનગરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરથી દર્શન કરીને ઓટોરિક્ષા પરત ફરી રહી હતી. તે દરમિયાન જામનગર-ભોળેશ્વર માર્ગ પર એક કિયા કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સામેની લેનમાં ઘૂસી ગઈ હતી અને સામેથી આવતી ઓટોરિક્ષા સાથે જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે કારની અડફેટે રસ્તા પરથી પસાર થતી એક બાઈક પણ આવી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે.

 

અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત બાળકો, મહિલાઓ અને અન્ય લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કાર ચાલકે કયા કારણોસર વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ