જાહેરાત
તાજા સમાચાર
જામનગર નજીક ભોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ, સેવા કેમ્પોમાં પણ ઉમટ્યા શ્રદ્ધાળુઓ. | જામનગર નજીક કાર અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત, અનેક ઘાયલ. | તારીખ : ૩૧/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | આજનો ઈતિહાસ : 31 ઓગસ્ટ | આજનો ઈતિહાસ : 31 ઓગસ્ટ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૨૧ | ભારત-ભુતાન વચ્ચે બનશે નવી રેલવે લાઇન, ₹3,500 કરોડના પ્રોજેક્ટથી ભુતાન સીધું ભારતીય રેલ નેટવર્ક સાથે જોડાશે. | ભાણવડના ઘુમલી વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે યુવક ઝડપાયો. | ગુજરાતમાં નવજાત શિશુઓના મૃત્યુમાં વધારો, 2024માં 12,492 બાળકોના મોતથી ચિંતા. | બહુચરાજી શક્તિપીઠે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા દર્શન, રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના. |
પાછા મુખ્ય સમાચાર પર
ધર્મ ૧૪ વાર જોવાયેલ 53 મિનિટ પેહલા

ધર્મ જામનગર નજીક ભોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ, સેવા કેમ્પોમાં પણ ઉમટ્યા શ્રદ્ધાળુઓ.

જામનગર નજીક ભોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ, સેવા કેમ્પોમાં પણ ઉમટ્યા શ્રદ્ધાળુઓ.

જામનગરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવ મંદિરે આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા-અર્ચના માટે મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.

 

મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર સતત રહેતાં અનેક સ્થળોએ ટ્રાફિકનું દબાણ જોવા મળ્યું હતું. દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગતાં સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.

માર્ગમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ઉભા કરાયેલા સેવા કેમ્પોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. સેવા કેમ્પોમાં ભક્તોને પીવાનું પાણી, ચા, નાસ્તો, પ્રસાદ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

 

ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાના પૂરતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા, જેથી શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કરીને ધર્મલાભ મેળવ્યો હતો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ