જાહેરાત
તાજા સમાચાર
સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. | જાણો, તા. 24 ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ. | તારીખ : ૨૪/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | ગુજરાતના CM-DyCM અંગે અફવા ફેલાવનાર સામે FIR | ગિનીની રાજધાની કોનાક્રીમાં મોટી દુર્ઘટના |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૪૯ વાર જોવાયેલ 3 અઠવાડિયા પેહલા

મારું શહેર ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

જામનગર, તા. 30 જુલાઈ: હવામાન વિભાગ દ્વારા રાજ્ય સહિત જામનગર જિલ્લામાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કરેલા આદેશ મુજબ, જિલ્લામાં આવેલી તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, તેમજ જામનગર શહેરની તમામ ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં તા. 31 જુલાઈ (શુક્રવાર) અને તા. 1 ઓગસ્ટ (શનિવાર) ના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.

સ્ટાફ માટે ખાસ સૂચનાઓ

શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, પરંતુ શાળાના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ હેડક્વાર્ટર છોડવાનું રહેશે નહીં. સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં જરૂરિયાત મુજબ સંપૂર્ણ સહયોગ આપવાનો રહેશે.

જરૂર પડે તો શાળાઓ બનશે આશ્રયસ્થાન

જિલ્લા શિક્ષણાધિકારીએ વધુમાં જણાવ્યું છે કે ભારે વરસાદ અથવા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો સ્થાનિક વહીવટી તંત્ર જરૂરિયાત મુજબ શાળાઓનો ઉપયોગ શેલ્ટર હોમ (આશ્રયસ્થાન) તરીકે કરી શકશે.

તે માટે શાળાઓમાં નીચેની આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે:

  • પીવાનું શુદ્ધ પાણી
  • વીજળીની વ્યવસ્થા
  • શૌચાલયની સુવિધા
  • આશ્રય માટે શાળા પરિસર તૈયાર રાખવું

જિલ્લા તંત્રે નાગરિકોને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ