જાહેરાત
તાજા સમાચાર
સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. | જાણો, તા. 24 ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ. | તારીખ : ૨૪/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | ગુજરાતના CM-DyCM અંગે અફવા ફેલાવનાર સામે FIR | ગિનીની રાજધાની કોનાક્રીમાં મોટી દુર્ઘટના |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૬૭ વાર જોવાયેલ 3 અઠવાડિયા પેહલા

મારું શહેર જામનગરના 154 સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, 26 સપ્ટેમ્બર સુધી અમલ.

જામનગરના 154 સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, 26 સપ્ટેમ્બર સુધી અમલ.

જામનગર: રાષ્ટ્રીય સુરક્ષા અને સંવેદનશીલ સ્થાપનોની સલામતીને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં કુલ 154 ક્રિટિકલ અને સ્ટ્રેટેજિક મહત્વ ધરાવતા વિસ્તારોને રેડ ઝોન અને યલો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેર કરાયેલા તમામ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 26 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. જિલ્લામાં મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન જામનગર, સમાણા વિસ્તાર, INS વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, સિક્કા થર્મલ પાવર સ્ટેશન, GSFC સહિત અનેક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને રક્ષણ સંબંધિત સ્થાપનાઓ આવેલી છે. આ તમામ સ્થળોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કુલ 154 સંવેદનશીલ ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન અને યલો ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

જાહેરનામા અનુસાર જામનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર જિલ્લાના રેડ ઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પૂર્વ મંજૂરી વિના ડ્રોન ઉડાડી શકશે નહીં. સુરક્ષા કારણોસર આ વિસ્તારોમાં ડ્રોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

જિલ્લા વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારોમાં અનધિકૃત ડ્રોન પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે જાહેર કરાયેલા રેડ ઝોન અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ ન કરે તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ