રાજકારણ Gen-Z પર કંગના રણૌતનો યુ-ટર્ન, 10 દિવસમાં બદલાયું વલણ
RSS પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં Gen-Z યુવાનોને દેશભક્ત ગણાવી તેમની વાત સાંભળવાની જરૂરિયાત વ્યક્ત કર્યા બાદ ભાજપ સાંસદ કંગના રણૌતના નિવેદનમાં મોટો બદલાવ જોવા મળ્યો છે.
રસપ્રદ વાત એ છે કે થોડા દિવસો પહેલાં કંગના રણૌતે Gen-Z યુવા પેઢી અંગે ટીકાત્મક ટિપ્પણી કરી હતી અને તેમને ‘ગટર જનરેશન’ તરીકે સંબોધી હતી. તેમના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા થઈ હતી.
હવે મોહન ભાગવતના નિવેદન બાદ કંગના રણૌતે Gen-Z અંગે પોતાનું વલણ બદલ્યું હોવાનું સામે આવ્યું છે. કંગનાએ આ પેઢીને દેશની ‘સૌથી મોટી તાકાત’ ગણાવી છે અને યુવાનોને ભારતની સંસ્કૃતિના ‘એમ્બેસેડર’ તરીકે પણ ઓળખાવ્યા છે.
કંગનાના નવા નિવેદનથી રાજકીય અને સોશિયલ મીડિયા વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને અગાઉની ‘ગટર જનરેશન’વાળી ટિપ્પણી અને હવે Gen-Zને દેશની સૌથી મોટી તાકાત ગણાવવાના બંને નિવેદનોને સાથે મૂકીને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
મોહન ભાગવતે Gen-Z યુવાનોની દેશભક્તિ અને તેમની વિચારસરણીને સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોની વાત સાંભળીને તેમની અપેક્ષાઓ અને વિચારોને સમજવાની સલાહ આપી હતી.
આ સમગ્ર ઘટનાક્રમમાં કંગના રણૌતનું બદલાયેલું નિવેદન ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે. એક તરફ અગાઉની ટિપ્પણીની ટીકા થઈ હતી, તો બીજી તરફ હવે Gen-Zને દેશની શક્તિ અને સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે ગણાવાતા તેમના વલણમાં આવેલા ફેરફારની ચર્ચા થઈ રહી છે.
હવે જોવાનું એ રહેશે કે કંગનાના આ નવા નિવેદનને Gen-Z યુવાનો કેવી રીતે સ્વીકારે છે અને તેમની અગાઉની ટિપ્પણી અંગે આગળ કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં.