જાહેરાત
તાજા સમાચાર
જામનગરના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સઘન ચેકિંગથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત. | તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ | KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ | જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. | જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસની વાહન ચેકિંગ કામગીરી, ૯ વાહનો ડિટેઇન. | ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩૨ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું શહેર જામનગર એસટી ડેપોમાં નિવૃત્તિ સન્માન સમારોહ: કંડક્ટર બાબુલાલ સોલંકી અને જે.પી. ગોધાણીને લાગણીસભર વિદાય અપાઈ.

જામનગર એસટી ડેપોમાં નિવૃત્તિ સન્માન સમારોહ: કંડક્ટર બાબુલાલ સોલંકી અને જે.પી. ગોધાણીને લાગણીસભર વિદાય અપાઈ.

જામનગર એસટી ડેપો ખાતે આજે વયમર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થયેલા બે અનુભવી કંડક્ટરો બાબુલાલ સોલંકી અને જે.પી. ગોધાણીના સન્માનમાં ભાવભર્યો નિવૃત્તિ સમારોહ યોજાયો, વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં સેવા આપનારા બંને કર્મચારીઓને સહકર્મચારીઓ અને અધિકારીઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓને બિરદાવી, કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જામનગર વિભાગના વિભાગીય નિયામક બી.સી. જાડેજા ઉપસ્થિત, તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં જામનગર એસટી ડેપોના મેનેજર મોરી સાહેબ, એ.ડબલ્યુ.એસ. શેખાબેન, લાઇન ચેકિંગ ઇન્ચાર્જ, ઉપપ્રમુખ સંજય ડોડીયા, મજૂર મંડળના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, કર્મચારી મંડળના કાર્યકારી પ્રમુખ શિવભદ્રસિંહ ચુડાસમા, મકવાણા સાહેબ (પ્રિન્સિપાલ), વાઘ સાહેબ, ટી.આઈ. કાપડી સાહેબ, એ.ટી.આઈ. જાડેજા સાહેબ, એ.ટી.આઈ. લૈયા, ગોસાઈ સાહેબ તેમજ કાર્યાલય મંત્રી સોલંકીભાઈ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત,

કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થતા બંને કંડક્ટરોને પુષ્પહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા, ઉપસ્થિત મહાનુભાવોએ તેમના લાંબા સેવાકાળ દરમિયાન કરેલી નિષ્ઠાપૂર્વકની કામગીરી, સમયપાલન, મુસાફરો પ્રત્યેનો સૌજન્યપૂર્ણ વ્યવહાર અને નિગમ પ્રત્યેની વફાદારીની પ્રશંસા કરી, પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે સરકારી સેવામાં કર્મચારીઓની નિષ્ઠા અને સમર્પણ જ સંસ્થાની સાચી મૂડી, બાબુલાલ સોલંકી અને જે.પી. ગોધાણીએ વર્ષો સુધી જવાબદારીપૂર્વક ફરજ બજાવી એસટી નિગમની પ્રતિષ્ઠા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, તેમની કામગીરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે,

નિવૃત્ત કર્મચારીઓએ પણ પોતાના સેવાકાળની યાદો તાજી કરતાં સહકર્મચારીઓ, અધિકારીઓ અને એસટી પરિવારનો આભાર વ્યક્ત કર્યો, તેમણે જણાવ્યું હતું કે વર્ષો સુધી મળેલો સહકાર અને સ્નેહ જીવનભર યાદ રહેશે, સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવુક માહોલ સર્જાયો હતો. અંતે બંને નિવૃત્ત કર્મચારીઓને તેમના નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી અને તેઓ તંદુરસ્ત, સુખી અને સમૃદ્ધ જીવન વિતાવે તેવી પ્રાર્થના સાથે કાર્યક્રમનું સમાપન........

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ