જાહેરાત
તાજા સમાચાર
સુકામેવાના ભાવમાં ભડકો: કિસમિસ 80%, બદામ 20% અને એલચી 30% મોંઘી. | વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો સંગઠનાત્મક ફેરફારની તૈયારી | શેરબજારમાં નબળાઈ, સેન્સેક્સ ૧૦૦થી વધુ પોઈન્ટ ઘટ્યો; ઓટો-મેટલ શેરોમાં વેચવાલી. | વિસાવદરમાં જૂની ટ્રેન સુવિધાઓ શરૂ કરો, પછી બ્રોડગેજના બણગાં ફૂંકો: જાગૃત નાગરિકોનો આક્રોશ. | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેનેડા પહોંચ્યા, ગુજરાતી સમુદાય સાથે સત્કાર સમારોહમાં સંવાદ. | ભાણવડમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની નવી ટીમની રચના, કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ. | જામનગરમાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણીનો પ્રારંભ, વિદ્યાર્થીઓની વિશાળ રેલી યોજાઈ. | ધોરાજીમાં ૯૬૪ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ અને બે મહિલાઓ ઝડપાયા. | તારીખ : ૨૫/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | ૨૫ ઓગસ્ટ, મંગળવાર અને શ્રાવણ સુદ તેરસનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૧૬ વાર જોવાયેલ 53 મિનિટ પેહલા

સબરસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેનેડા પહોંચ્યા, ગુજરાતી સમુદાય સાથે સત્કાર સમારોહમાં સંવાદ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેનેડા પહોંચ્યા, ગુજરાતી સમુદાય સાથે સત્કાર સમારોહમાં સંવાદ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકા પ્રવાસ પૂર્ણ કર્યા બાદ કેનેડા પહોંચ્યું છે. ટોરોન્ટો એરપોર્ટ પર મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળનું ગુજરાતી સમુદાયના અગ્રણીઓ તેમજ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડા દ્વારા મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશનના સન્માનમાં વિશેષ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સત્કાર સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જ્યાં પણ વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતીની આગવી ઓળખ છે. તેમણે ગુજરાતની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ૧૯૬૦માં મહારાષ્ટ્રથી અલગ રાજ્ય તરીકે ગુજરાતનું અસ્તિત્વ આવ્યું ત્યારે રાજ્યમાં રોડ-રસ્તા, વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓ પણ પૂરતી ઉપલબ્ધ નહોતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકામાં સતત વિકાસ કરીને દેશના ગ્રોથ એન્જિન તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે.

 

મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસમાં રોકાણ અને ઔદ્યોગિક પ્રગતિને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે છ પ્લાન્ટ શરૂ થયા છે અને વાયબ્રન્ટ ગુજરાત સમિટના માધ્યમથી રાજ્યમાં મોટા પાયે રોકાણો આકર્ષાયા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક સ્તરે વધેલા સન્માનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમના નેતૃત્વમાં ભારતના પાસપોર્ટની વેલ્યુ અને ભારતીયો તથા ગુજરાતીઓ પ્રત્યેની વૈશ્વિક દૃષ્ટિમાં પણ નોંધપાત્ર બદલાવ આવ્યો છે.

મુખ્યમંત્રીએ કેનેડાના અર્થતંત્રમાં ગુજરાતી સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. સાથે જ કેનેડામાં વસતા ગુજરાતી ઉદ્યોગસાહસિકોને પોતાની જન્મભૂમિ ગુજરાતમાં રોકાણ કરવા અને વિકાસયાત્રામાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. તેમણે આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭માં કેનેડાના ગુજરાતી સમુદાયને જોડાવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ