જાહેરાત
તાજા સમાચાર
કંગના રણૌત અને બાબા રામદેવ વચ્ચે શાબ્દિક જંગ ઉગ્ર | ફલ્લા ગામ નજીક 2.9 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, SOG અને પંચ 'એ' ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી. | નેપાળમાં ભયાનક પૂરને પગલે અમદાવાદ જિલ્લા તંત્ર એલર્ટ | અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતાં IMAની એડવાઈઝરી | ખાંડ મોંઘી કરવાની મંત્રીની સલાહથી રાજકીય વિવાદ | શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 100 પોઈન્ટ ચડ્યો, નિફ્ટી 24,300ની સપાટી પાર. | કીલેશ્વર મહાદેવ ખાતે શ્રાવણમાં ભક્તોની ભારે ભીડ, કીલ ગંગામાં પાણી ઓછું છતાં આસ્થામાં ઘટાડો નહીં. | નેપાળ પૂર સંકટ: ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસે જાહેર કર્યા ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર. | આજનો ઈતિહાસ: 27 ઓગસ્ટ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૧૯ |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૩ વાર જોવાયેલ 59 મિનિટ પેહલા

ટૉપ ન્યૂઝ અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતાં IMAની એડવાઈઝરી

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતાં IMAની એડવાઈઝરી

H1N1 વાયરસને લઈને IMAની સલાહ, ગભરાવાની જરૂર નહીં પરંતુ સાવચેતી જરૂરી

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ICMRના સર્વે મુજબ હાલ જોવા મળી રહેલો વાયરસ મોસમી H1N1 હોવાનું સામે આવ્યું છે.

મહત્વની વાત એ છે કે હાલના વાયરસમાં કોઈ નવા જિનેટિક મ્યુટેશનની પુષ્ટિ થઈ નથી. તબીબોના જણાવ્યા મુજબ મોટાભાગના કેસ હળવા પ્રકારના છે, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ લક્ષણો જણાય તો સાવચેતી રાખવી જરૂરી છે.

IMA દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સનું સેવન ન કરવું. ખાસ કરીને અઝિથ્રોમાયસિન અને એમોક્સિસિલિન જેવી દવાઓ જાતે લેવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.

સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો હોય તો પૂરતો આરામ અને તબીબી સલાહ લેવી જોઈએ. જોકે શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસ ચઢવો અથવા ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.

IMAએ સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિમાં ગભરાટ નહીં પરંતુ યોગ્ય સાવચેતી અને તબીબી માર્ગદર્શનને પ્રાથમિકતા આપવી જોઈએ.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ