જાહેરાત
તાજા સમાચાર
કંગના રણૌત અને બાબા રામદેવ વચ્ચે શાબ્દિક જંગ ઉગ્ર | ફલ્લા ગામ નજીક 2.9 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, SOG અને પંચ 'એ' ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી. | નેપાળમાં ભયાનક પૂરને પગલે અમદાવાદ જિલ્લા તંત્ર એલર્ટ | અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતાં IMAની એડવાઈઝરી | ખાંડ મોંઘી કરવાની મંત્રીની સલાહથી રાજકીય વિવાદ | શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 100 પોઈન્ટ ચડ્યો, નિફ્ટી 24,300ની સપાટી પાર. | કીલેશ્વર મહાદેવ ખાતે શ્રાવણમાં ભક્તોની ભારે ભીડ, કીલ ગંગામાં પાણી ઓછું છતાં આસ્થામાં ઘટાડો નહીં. | નેપાળ પૂર સંકટ: ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસે જાહેર કર્યા ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર. | આજનો ઈતિહાસ: 27 ઓગસ્ટ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૧૯ |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૪ વાર જોવાયેલ એક કલાક પેહલા

ટૉપ ન્યૂઝ ખાંડ મોંઘી કરવાની મંત્રીની સલાહથી રાજકીય વિવાદ

ખાંડ મોંઘી કરવાની મંત્રીની સલાહથી રાજકીય વિવાદ

કૈલાશ વિજયવર્ગીયનો વિવાદિત દાવો—‘40 વર્ષથી વધુ ઉંમરના લોકોને ખાંડ મળવી જ ન જોઈએ’

તહેવારોની સિઝન વચ્ચે દેશમાં ખાંડના ભાવને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે મધ્યપ્રદેશના ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીયના એક નિવેદનથી નવો રાજકીય વિવાદ ઊભો થયો છે.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખાંડ એટલી મોંઘી કરી દેવી જોઈએ કે તેઓ તેને ખરીદી જ ન શકે. તેમણે પોતાના નિવેદન પાછળ સ્વાસ્થ્યનો તર્ક આપ્યો હતો.

મંત્રીના જણાવ્યા મુજબ, મોટાભાગના લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરતા નથી અને ડૉક્ટરો પણ 40 વર્ષની ઉંમર બાદ ખાંડનું સેવન ન કરવાની સલાહ આપે છે. તેમણે એવું પણ કહ્યું કે જો ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ.

કૈલાશ વિજયવર્ગીયએ વધુમાં સૂચન કર્યું હતું કે રેશનિંગની દુકાનો પર સસ્તા ભાવે ખાંડ માત્ર બાળકો માટે જ ઉપલબ્ધ કરાવવી જોઈએ.

જોકે, તેમના આ નિવેદનને લઈને કોંગ્રેસે આકરો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતા જીતુ પટવારીએ આ નિવેદનને મોંઘવારી વચ્ચે ગરીબ અને સામાન્ય લોકોનું અપમાન ગણાવ્યું છે.

એક તરફ તહેવારોની સિઝનમાં મોંઘવારીનો મુદ્દો ગરમાયો છે અને બીજી તરફ મંત્રીના ખાંડના ભાવ અંગેના નિવેદનથી રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. હવે આ નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આગામી દિવસોમાં વધુ રાજકીય વાકયુદ્ધ જોવા મળે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ