જાહેરાત
તાજા સમાચાર
કંગના રણૌત અને બાબા રામદેવ વચ્ચે શાબ્દિક જંગ ઉગ્ર | ફલ્લા ગામ નજીક 2.9 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, SOG અને પંચ 'એ' ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી. | નેપાળમાં ભયાનક પૂરને પગલે અમદાવાદ જિલ્લા તંત્ર એલર્ટ | અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતાં IMAની એડવાઈઝરી | ખાંડ મોંઘી કરવાની મંત્રીની સલાહથી રાજકીય વિવાદ | શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 100 પોઈન્ટ ચડ્યો, નિફ્ટી 24,300ની સપાટી પાર. | કીલેશ્વર મહાદેવ ખાતે શ્રાવણમાં ભક્તોની ભારે ભીડ, કીલ ગંગામાં પાણી ઓછું છતાં આસ્થામાં ઘટાડો નહીં. | નેપાળ પૂર સંકટ: ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસે જાહેર કર્યા ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર. | આજનો ઈતિહાસ: 27 ઓગસ્ટ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૧૯ |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૩૭ વાર જોવાયેલ એક કલાક પેહલા

ટૉપ ન્યૂઝ કંગના રણૌત અને બાબા રામદેવ વચ્ચે શાબ્દિક જંગ ઉગ્ર

કંગના રણૌત અને બાબા રામદેવ વચ્ચે શાબ્દિક જંગ ઉગ્ર

કંગનાનો રામદેવ પર તીખો પ્રહાર, પૂછ્યું—‘શું તમે મારા રૂમમાં ચામાચીડિયું બનીને લટકતા હતા?’

ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચેનો શાબ્દિક વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. તાજેતરમાં કંગનાના ‘ગટર જનરેશન’ વાળા નિવેદન બાદ શરૂ થયેલી આ તકરાર હવે વધુ વકરતી જોવા મળી રહી છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન કંગના રણૌતે બાબા રામદેવ પર તીખો પ્રહાર કર્યો હતો. કંગનાએ સવાલ ઉઠાવ્યો કે રામદેવ જ્યારે તેમના બાળપણ અને યુવાની અંગે વાત કરે છે, ત્યારે શું તેઓ તેમના રૂમમાં ચામાચીડિયું બનીને લટકતા હતા?

કંગનાએ કહ્યું કે બાબા રામદેવે જ્યારે સ્વદેશી અભિયાન શરૂ કર્યું હતું ત્યારે સરકારે પણ તેમને ઘણો સહયોગ આપ્યો હતો. જોકે, હવે તેઓ માત્ર યોગ અને આયુર્વેદ સુધી સીમિત રહ્યા નથી અને કપડાં તથા અન્ય પ્રોડક્ટ્સના વ્યવસાયમાં પણ આગળ વધ્યા છે.

કંગનાએ રામદેવને લઈને વધુમાં કહ્યું કે તેઓ હવે એક રીતે સંપૂર્ણ બિઝનેસમેન બની ગયા છે. સાથે જ તેમણે રામદેવના પોતાના બાળપણ અને યુવાની વિશેના દાવા સામે સવાલ ઉઠાવ્યો.

કંગનાએ કટાક્ષ કરતાં કહ્યું કે જો બાબા રામદેવ કહે છે કે તેમણે તેમનું બાળપણ અને યુવાની જોઈ છે, તો તેમણે તેમણે શું જોયું હતું તે સ્પષ્ટપણે જણાવવું જોઈએ.

આ નિવેદન બાદ બંને વચ્ચેનો શાબ્દિક વિવાદ વધુ ગરમાયો છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ