જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં સિટી બસની અડફેટે વિકલાંગ વૃદ્ધ ઘવાયા | ‘છોટીકાશી’ જામનગરમાં કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા | ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ. | જામનગરના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સઘન ચેકિંગથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત. | તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ | KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ | જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૯૭ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ટૉપ ન્યૂઝ 4 સિંહોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખવાનો નિર્ણય

4 સિંહોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખવાનો નિર્ણય

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં યુવક પર જીવલેણ હુમલો કરીને તેનો ભોગ લેનારા ચાર સિંહોને વન વિભાગે આજીવન કેદ સમાન નિર્ણય હેઠળ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કાયમી રાખવાનો નિર્ણય કર્યો છે. લેબોરેટરી રિપોર્ટમાં આ ચારેય સિંહો માનવભક્ષણની ઘટનામાં સંડોવાયેલા હોવાની સત્તાવાર પુષ્ટિ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ કોવાયા ગામ નજીક ઉત્તરાખંડના રહેવાસી પ્રકાશચંદ્ર નામના યુવક પર રાત્રિના સમયે સિંહોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી બે પાઠડા (યુવાન સિંહ) તેમજ બે પુખ્ત સિંહો સહિત કુલ ચાર સિંહોને પાંજરે પૂર્યા હતા. ત્યારબાદ તમામ સિંહોના જરૂરી સેમ્પલ લઈ વૈજ્ઞાનિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

વન વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં લેબોરેટરી રિપોર્ટના આધારે આ ચારેય સિંહોએ જ માનવભક્ષણ કર્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. રિપોર્ટ બાદ વિભાગે આ સિંહોને ફરી જંગલમાં છોડવાને બદલે કાયમી કેદમાં રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

વન વિભાગના નિર્ણય મુજબ હવે આ ચારેય સિંહોને આજીવન જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવશે. માનવજીવનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોવાયાની આ ઘટનાએ ગીર પંથકમાં માનવ અને વન્યપ્રાણી વચ્ચે વધતા સંઘર્ષનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. વન વિભાગ દ્વારા હવે સંવેદનશીલ વિસ્તારોમાં સિંહોની હિલચાલ પર સતત નજર રાખવાની સાથે લોકોમાં પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ