જાહેરાત
તાજા સમાચાર
જામનગર લોકમેળામાં 400થી વધુ નિરાધાર બાળકો માટે ખુશીઓનો દિવસ, વિનામૂલ્યે રાઇડ્સ અને ભોજનનું આયોજન. | ગોંડલમાં જન્માષ્ટમી પર્વે કોમી એકતાના દર્શન: 44 વર્ષથી બાળ યુવક મિત્ર મંડળની ભવ્ય કૃષ્ણ લીલા ઝાંખીઓ. | મહાભારતકાળની ગાથા સંભાળતું પાટણનું લોહેશ્વર મહાદેવ ધામ: જ્યાં ભીમે સ્થાપ્યું શિવલિંગ, આજે પણ જીવંત છે પાંડવોની સ્મૃતિ. | ચોમાસાની વિદાય પહેલાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ, 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. | ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલનનો કહેર: પૌડીમાં 6 દુકાનો ખાલી કરાવાઈ, 25 દુકાનો પર જોખમ; યુપીના 3 જિલ્લામાં શાળાઓ બંધ, બિહારમાં 14 જિલ્લામાં પૂર. | કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.144 કરોડની છેતરપિંડી, EOWમાં ફરિયાદ નોંધાઈ. | મોટો આદેશ: હવે તમામ ખાદ્ય પદાર્થો પર ફરજિયાત લેબલ, નિયમ તોડનાર સામે થશે કડક કાર્યવાહી. | ગુજરાતમાં ખાનગી સ્કૂલો માટે કડક કાયદો! મંજૂરી વિના સ્કૂલ બંધ કરશો તો રૂ.20 લાખનો દંડ, વિધાનસભામાં આવશે સુધારા બિલ. | માધવપુર ઘેડમાં જાહેર રસ્તા પર ગેરકાયદે દબાણનો મુદ્દો ગરમાયો, બંદર રોડ અને બાબુળી રોડ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. | કેનેડાનો અમેરિકાને જડબાતોડ જવાબ! 600થી વધુ અમેરિકી વસ્તુઓ પર 50% સુધીનો ટેરિફ, ટ્રેડ વોર વધુ ભડક્યો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૪ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર ગોંડલમાં જન્માષ્ટમી પર્વે કોમી એકતાના દર્શન: 44 વર્ષથી બાળ યુવક મિત્ર મંડળની ભવ્ય કૃષ્ણ લીલા ઝાંખીઓ.

ગોંડલમાં જન્માષ્ટમી પર્વે કોમી એકતાના દર્શન: 44 વર્ષથી બાળ યુવક મિત્ર મંડળની ભવ્ય કૃષ્ણ લીલા ઝાંખીઓ.

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગોંડલના ધારશી પારેખની શેરી ખાતે શ્રી બાળ યુવક મિત્ર મંડળ અને આર્ય શેરી મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 44 વર્ષથી અવિરત યોજાતા આ મહોત્સવે આ વર્ષે પણ ભક્તિ, સંસ્કૃતિ અને કોમી એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો.

મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો અને વિવિધ લીલાઓને જીવંત કરતી મનોરમ ઝાંખીઓ, આકર્ષક ફ્લોટ્સ તેમજ ભવ્ય લાઇટ ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું હતું, જે શ્રદ્ધાળુઓ અને દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ આયોજનની સૌથી મોટી વિશેષતા હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું અનોખું દૃશ્ય રહ્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બંને સમાજના કાર્યકર્તાઓએ ખભેખભા મિલાવીને નિસ્વાર્થ સેવા આપી હતી, જે સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

 

આ સમગ્ર આયોજનમાં બાળ યુવક ગ્રૂપ તેમજ વ્રજ પુષ્પમ-ગોંડલના સભ્યોએ તન, મન અને ધનથી યોગદાન આપી ભવ્ય કૃષ્ણ લીલા ઝાંખીઓને અંતિમ ઓપ આપ્યો હતો.

મંડળ દ્વારા ગોંડલ સહિત આસપાસના વિસ્તારના ભાવિકોને આકર્ષક ઝાંખીઓના દર્શન કરી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

રિપોર્ટર: તુષાર વ્યાસ, ગોંડલ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ