જાહેરાત
તાજા સમાચાર
SCOમાં ભારતની મજબૂત દાવેદારી: મધ્ય એશિયાથી ગ્લોબલ ડિપ્લોમસી સુધી ભારતનો માસ્ટર પ્લાન. | સેમીકોન 2.0થી ભારત બનશે ચિપ ઉત્પાદનનું વૈશ્વિક હબ, સરકારે 1.27 લાખ કરોડના મહાપેકેજની કરી જાહેરાત. | જામનગરમાં સેતાવાડ હત્યા કેસના આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા. | અલ નીનોની અસરથી દેશના અડધા ભાગમાં વરસાદની અછત, 350 જિલ્લામાં દુષ્કાળની ભીતિ. | લિયોનેલ મેસ્સીની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ! | ગુજરાતીઓ માટે ખુશખબર: ઉદયપુર-અસારવા વંદે ભારત હવે સુરત સુધી દોડશે, જાણો નવું સમયપત્રક. | 1 સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ થયા 7 મોટા ફેરફારો, LPGથી લઈને કાર અને મુસાફરી સુધી પડશે સીધી અસર. | તમિલનાડુમાં TVK-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ચર્ચા તેજ, CM વિજયે રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર તરીકે સ્વીકાર્ય ગણાવ્યાનો દાવો. | ગુજરાતમાં 14 વર્ષથી પ્રતિબંધ છતાં રૂ. 3 હજાર કરોડના તમાકુ-પાન મસાલાનું વેચાણ, 100માંથી 38 પુરુષો તમાકુના બંધાણી. | ગુજરાતીઓએ રૂ. 23,381 કરોડનું સોનું ગિરવે મૂક્યું, પર્સનલ લોન કરતાં ગોલ્ડ લોન પ્રથમ પસંદ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત ગુજરાતીઓ માટે ખુશખબર: ઉદયપુર-અસારવા વંદે ભારત હવે સુરત સુધી દોડશે, જાણો નવું સમયપત્રક.

ગુજરાતીઓ માટે ખુશખબર: ઉદયપુર-અસારવા વંદે ભારત હવે સુરત સુધી દોડશે, જાણો નવું સમયપત્રક.

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે રેલવે બોર્ડે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલમાં ઉદયપુર સિટી અને અમદાવાદના અસારવા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને હવે દક્ષિણ ગુજરાતના સુરત સુધી લંબાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્ણયથી સુરત, ભરૂચ, વડોદરા અને મધ્ય-દક્ષિણ ગુજરાતના મુસાફરોને ઉદયપુર અને શ્રીનાથદ્વારા જેવા લોકપ્રિય પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી સીધી સેમી-હાઈસ્પીડ ટ્રેન સેવા ઉપલબ્ધ થશે. વેપારીઓ, પ્રવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓને આ રૂટનો સીધો લાભ મળશે.

અઠવાડિયામાં 6 દિવસ દોડશે

નવી વ્યવસ્થા મુજબ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે.

સુરતથી ઉદયપુર સમયપત્રક

  • સુરત – સવારે 6:10 વાગ્યે પ્રસ્થાન
  • ભરૂચ – 6:51 થી 6:53
  • વડોદરા – 7:40 થી 7:45
  • આણંદ – 8:11 થી 8:13
  • મણિનગર – 8:41 થી 8:43
  • અસારવા – 9:25 થી 9:30
  • હિંમતનગર – 10:38 થી 10:40
  • શામળાજી રોડ – 11:08 થી 11:10
  • ડુંગરપુર – 11:42 થી 11:44
  • ઝાવર – 12:45 થી 12:47
  • ઉદયપુર સિટી – બપોરે 1:40 વાગ્યે આગમન

ઉદયપુરથી સુરત સમયપત્રક

  • ઉદયપુર સિટી – બપોરે 3:35 વાગ્યે પ્રસ્થાન
  • ઝાવર – 4:01 થી 4:03
  • ડુંગરપુર – 4:50 થી 4:52
  • શામળાજી રોડ – 5:27 થી 5:29
  • હિંમતનગર – 6:18 થી 6:20
  • અસારવા – 7:25 થી 7:30
  • મણિનગર – 7:58 થી 8:00
  • આણંદ – 8:50 થી 8:52
  • વડોદરા – 9:22 થી 9:27
  • ભરૂચ – 10:10 થી 10:12
  • સુરત – રાત્રે 11:00 વાગ્યે આગમન

રેલવે બોર્ડે રૂટ લંબાવવાની મંજૂરી આપી દીધી છે. જોકે, આ નવી સેવા કઈ તારીખથી શરૂ થશે તેની સત્તાવાર જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્યારબાદ મુસાફરો માટે બુકિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ