જાહેરાત
તાજા સમાચાર
માત્ર 17 ટકા વરસાદથી સૌરાષ્ટ્રમાં કૃષિ સંકટ: પાક સુકાવાની ભીતિ, ખેડૂતોને બિયારણ-ખાતરનો ખર્ચ માથે પડવાની ચિંતા. | કેદારનાથ ધામ અને જ્યોતિર્લિંગનું મહાત્મ્ય. | ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને મોટા સમાચાર | ભાવનગરમાં ST બસ કાળ બની: ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીનું કરુણ મોત, એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત. | રાત્રે સામેની ગાડીની તેજ લાઈટથી નહીં આંજાય આંખો! હેડલાઈટના નિયમો વધુ કડક કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર. | ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા ઓછી, સામાન્ય ઝાપટાંની આગાહી; તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચતાં ઉકળાટ વધશે. | ઇસ્લામાબાદની PIMS હોસ્પિટલમાં ભીષણ આગ: AC કમ્પ્રેસર ફાટતાં 15 નવજાતનાં કરુણ મોત, માત્ર એક બાળક બચ્યું. | શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300ની સપાટી નજીક. | મીઠાપુરના રામ મંદિરે શ્રીરામ મહિલા મંડળ દ્વારા 1111 શિવલિંગ પૂજન અને હીડોળા મનોરથની ભવ્ય ઉજવણી. | જામનગરમાં ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનન સામે મોટી કાર્યવાહી: રૂ.1.40 કરોડનો મુદ્દામાલ સીઝ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૨ વાર જોવાયેલ 46 મિનિટ પેહલા

મારું શહેર ભાવનગરમાં ST બસ કાળ બની: ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીનું કરુણ મોત, એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત.

ભાવનગરમાં ST બસ કાળ બની: ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીનું કરુણ મોત, એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત.

ભાવનગર: શહેરમાં આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં બે નિર્દોષ જીવ હોમાઈ ગયા હતા. એસટી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ફૂટપાથ પર વાહનની રાહ જોઈ રહેલી માતા અને તેમની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાંથી સિહોર-ટાણા-વરલ રૂટ પર જવા નીકળેલી એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી વખતે અચાનક બેકાબૂ બની ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ડ્રાઇવરનો બસ પરનો કાબૂ છૂટી જતા બસ પૂરપાટ ઝડપે ફૂટપાથ પર ચડી ગઈ અને આગળ જઈને ભરૂચા ક્લબની દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ફૂટપાથ પર બેઠેલા લોકોને બચવાનો કોઈ મોકો મળ્યો નહોતો.

આ દુર્ઘટનામાં રામધરી સણોસરાના રહેવાસી 28 વર્ષીય લલીતાબેન ગુલાબસિંહ પરમાર અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયાબેન ગુલાબસિંહ પરમારનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. માતા-પુત્રીના એકસાથે થયેલા મૃત્યુથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

અકસ્માતમાં ઠોડા-ઉમરાળાના રહેવાસી મધુબેન લાલજીભાઈ વાઘેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બસને હટાવી માર્ગ પરનો વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે બસ શા માટે બેકાબૂ બની અને તેમાં કોઈ યાંત્રિક ખામી હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ