જાહેરાત
તાજા સમાચાર
PM મોદી આજે તાશ્કંદ રવાના, SCO સમિટમાં ભાગ લેશે; ઉઝબેકિસ્તાન સાથે વ્યૂહાત્મક સંબંધોને મળશે નવી દિશા. | રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં અકસ્માતોમાં ચિંતાજનક વધારો, 700થી વધુ અકસ્માત નોંધાયા. | ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં વરસાદની 31% ઘટથી ખેડૂતોમાં ચિંતા. | જામનગર રેલવે પોલીસની કાર્યવાહી: વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ઝડપાયા. | જામનગરના બિલ્ડરની આત્મહત્યા કેસમાં 11 સામે ગુનો, 153 કરોડની મિલકતો પચાવી પાડ્યાનો આક્ષેપ. | વેનેઝુએલા સાથે અમેરિકાની ઐતિહાસિક ઓઈલ ડીલનો ટ્રમ્પનો દાવો. | નેપાળમાં જળપ્રલયથી મૃત્યુઆંક 600ની નજીક, 2,500થી વધુ લોકો હજુ ગુમ. | સણખલા ગામમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા. | તારીખ : ૨૯/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | શ્રી ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પાવન કથા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૪ વાર જોવાયેલ 39 મિનિટ પેહલા

મારું શહેર જામનગર રેલવે પોલીસની કાર્યવાહી: વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ઝડપાયા.

જામનગર રેલવે પોલીસની કાર્યવાહી: વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ઝડપાયા.

જામનગર રેલવે પોલીસે વણશોધાયેલા શરીર સંબંધી ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પશ્ચિમ રેલવે અમદાવાદના અધિક પોલીસ મહાનિર્દેશક કે.એન. ડામોર અને પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ રેલવેના વિભાગીય પોલીસ અધિક્ષક એચ.એમ. રાણાના સીધા માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે તપાસ ચલાવવામાં આવી હતી. જામનગર રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પાંચીયાના માર્ગદર્શન હેઠળ ટીમે આરોપીઓને શોધી કાઢી ડિટેઇન કર્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં:

  • સલાઉદિન ઇન્દ્રીશભાઈ માજોઠી (ઉ.વ. 29), રહે. ગાંધીનગર, જામનગર
  • અક્રમ ઇસાકભાઈ જનર (ઉ.વ. 26), રહે. માજોઠીનગર, ગાંધીનગર, જામનગર

આ સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. ડોડીયા, એએસઆઈ મુનાવર ગુલામહુસેન, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ચૌહાણ તેમજ કોન્સ્ટેબલ જયેશકુમાર સોલંકી અને અજયસિંહ જાડેજાની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. હાલમાં બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ