જાહેરાત
તાજા સમાચાર
માધવપુરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા, ₹11,300 રોકડ કબજે. | ઝરમર વરસાદ વચ્ચે જામ્યો ખંભાળિયાનો રખ પાંચમનો મેળો, ઉમટ્યું માનવ મહેરામણ | ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA, 95%થી વધુ ઉત્પાદનો થશે ટેરિફ-ફ્રી | હિમાચલમાં ચોમાસાની ભારે તારાજી, ₹3,212 કરોડનું નુકસાન; 296 લોકોનાં મોત | માધવપુરમાં લોખંડના પાઇપ વડે હુમલાનો આક્ષેપઃ દારૂની માંગણી બાદ મારામારી. | વિશા શ્રીમાની દેરાવાસી જૈન સમાજ દ્વારા તપસ્વીઓના પારણાનું આયોજન. | હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આફતઃ 296 મોત, 59 રસ્તા બંધ અને ₹3,212 કરોડથી વધુનું નુકસાન. | અગ્નિશમન સેવાનો કાફલો થયો વધુ મજબૂતઃ જામનગરને મળ્યા 10 નવા વાહનો. | તારીખ : ૧૬/૦૯/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | આજનો ઈતિહાસ : 16 સપ્ટેમ્બર |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૭૦ વાર જોવાયેલ 2 અઠવાડિયા પેહલા

મારું ગુજરાત રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં અકસ્માતોમાં ચિંતાજનક વધારો, 700થી વધુ અકસ્માત નોંધાયા.

રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં અકસ્માતોમાં ચિંતાજનક વધારો, 700થી વધુ અકસ્માત નોંધાયા.

રક્ષાબંધનના પાવન તહેવાર દરમિયાન રાજ્યભરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઇમરજન્સી 108 સેવાની માહિતી અનુસાર, સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધનના દિવસે અકસ્માતોમાં અંદાજે 31 ટકા વધારો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં એક જ દિવસમાં 700થી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જે દૈનિક સરેરાશ કરતાં 173થી વધુ અકસ્માતો છે. ઉપરાંત, સાંજના સમય સુધી 108 ઇમરજન્સી સેવા પર અકસ્માત સંબંધિત 725 જેટલા કોલ અને કેસ નોંધાયા હતા.

નિષ્ણાતોના મતે તહેવારો દરમિયાન રસ્તાઓ પર વધતી વાહનોની અવરજવર, ઉતાવળ, ટ્રાફિકનું ભારણ અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે અકસ્માતોમાં વધારો જોવા મળે છે. તંત્ર દ્વારા વાહનચાલકોને ગતિમર્યાદાનું પાલન કરવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ