જાહેરાત
તાજા સમાચાર
જામનગર રેલવે પોલીસની કાર્યવાહી: વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ઝડપાયા. | જામનગરના બિલ્ડરની આત્મહત્યા કેસમાં 11 સામે ગુનો, 153 કરોડની મિલકતો પચાવી પાડ્યાનો આક્ષેપ. | વેનેઝુએલા સાથે અમેરિકાની ઐતિહાસિક ઓઈલ ડીલનો ટ્રમ્પનો દાવો. | નેપાળમાં જળપ્રલયથી મૃત્યુઆંક 600ની નજીક, 2,500થી વધુ લોકો હજુ ગુમ. | સણખલા ગામમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા. | તારીખ : ૨૯/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | શ્રી ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પાવન કથા. | કેશોદ-જૂનાગઢમાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા વધી, પિયત આપીને પાક બચાવવાના પ્રયાસો. | નેપાળમાં ફરી પૂરનો ખતરો, તિબેટ તરફથી વધુ પાણી આવવાની ચેતવણી બાદ હાઈ એલર્ટ. | કેશોદમાં ‘ભારત કો જાણો ક્વિઝ-2026’નું સફળ આયોજન, 2,500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૨૦ વાર જોવાયેલ 53 મિનિટ પેહલા

સબરસ નેપાળમાં જળપ્રલયથી મૃત્યુઆંક 600ની નજીક, 2,500થી વધુ લોકો હજુ ગુમ.

નેપાળમાં જળપ્રલયથી મૃત્યુઆંક 600ની નજીક, 2,500થી વધુ લોકો હજુ ગુમ.

કાઠમંડુ: નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ અને જળપ્રલય બાદ સ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર બની રહી છે. અત્યાર સુધીમાં 587 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2,500થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીના કિનારાના અનેક ગામો, રસ્તાઓ, પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે.

320થી વધુ ભારતીયોનો હજુ સંપર્ક નથી

ભારતના વિદેશ મંત્રાલયની માહિતી મુજબ, 320 ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના 100 લોકો સાથે હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. જેમાંથી અંદાજે 100 ભારતીયો ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ વિસ્તારમાં ફસાયેલા હોવાની આશંકા છે. જોકે તિબેટ વિસ્તારમાં રહેલા આશરે 400 ભારતીયો સુરક્ષિત હોવાનું અને તેમની સાથે સંપર્ક સ્થાપિત થઈ ચૂક્યો હોવાનું જણાવાયું છે.

ગ્લેશિયર તૂટવાથી સર્જાઈ વિનાશક સ્થિતિ

પ્રાથમિક તપાસ મુજબ, ઊંચા હિમાલય વિસ્તારમાં ગ્લેશિયરનો મોટો ભાગ તૂટીને લેંડે નદીમાં ખાબકતાં બરફ, પથ્થરો અને કાટમાળનો કુદરતી અવરોધ સર્જાયો હતો. બાદમાં આ અવરોધ તૂટતાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં અચાનક વિનાશક પૂર આવ્યું અને વ્યાપક તબાહી સર્જાઈ.

કૃત્રિમ સરોવરને કારણે ફરી પૂરનું જોખમ

પૂર બાદ નદીના ઉપરવાસમાં કાટમાળના કારણે બનેલા કુદરતી અવરોધ પાછળ આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થયું હોવાનું સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યું છે. જો આ કુદરતી અવરોધ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર ગંભીર પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 

36થી વધુ પુલ તૂટ્યા, રાહત કામગીરી યથાવત

આ વિનાશક પૂરના કારણે 36થી વધુ પુલ ધ્વસ્ત થયા છે અને 90 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. અનેક વિસ્તારોનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે નેપાળે ભારત અને ચીન પાસે 42 બેલી બ્રિજની મદદ માંગી છે.

હાલ નેપાળી સેનાના 2,300થી વધુ જવાનો સહિત કુલ 7,451 સુરક્ષાકર્મીઓ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને ગુમ થયેલા લોકોની શોધ માટે સતત અભિયાન ચાલુ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ