જાહેરાત
તાજા સમાચાર
કેશોદમાં ‘ભારત કો જાણો ક્વિઝ-2026’નું સફળ આયોજન, 2,500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા. | જામનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, બહેનોએ કેદીઓને રાખડી બાંધી આપ્યો સ્નેહનો સંદેશ. | શ્રી કૃષ્ણનગર પ્રાથમિક શાળા, ભાટીયામાં રક્ષાબંધન નિમિત્તે રાખડી બનાવટ સ્પર્ધાનું આયોજન. | અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનો માટે નવો નિયમ | 72 કલાક ‘ભારે’! નેપાળ-તિબેટ સરહદે નવા જળપ્રલયનો ખતરો? | રક્ષાબંધનના શુભ મુહૂર્ત | આજનો ઈતિહાસ : 28 ઓગસ્ટ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૨૦ | મહિલા ધારાસભ્યોને CM ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ | વિસાવદરની ‘નળ સે જળ’ યોજનામાં કથિત ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર કેશોદમાં ‘ભારત કો જાણો ક્વિઝ-2026’નું સફળ આયોજન, 2,500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા.

કેશોદમાં ‘ભારત કો જાણો ક્વિઝ-2026’નું સફળ આયોજન, 2,500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા.

કેશોદ: વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, રાષ્ટ્રીય ચેતના તેમજ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરા અંગેની સમજ વિકસે તે હેતુથી ભારત વિકાસ પરિષદ, કેશોદ દ્વારા **‘ભારત કો જાણો ક્વિઝ-2026’**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝ સ્પર્ધામાં કેશોદની વિવિધ શાળાઓના 2,500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

પ્રાથમિક તબક્કામાં MCQ આધારિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના પ્રાથમિક વિભાગમાં જીયા રાઠોડ અને દીપ્સા ફળદુએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે માધ્યમિક વિભાગમાં જીયા મુછાળ અને શ્યામા ખોડાએ પ્રથમ સ્થાન મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

પ્રાથમિક તબક્કા બાદ 51 શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓએ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું, જ્યાંથી નિયમો અનુસાર પસંદ થયેલી ટીમોએ ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. ફાઇનલમાં પહોંચેલા 24 વિદ્યાર્થીઓ વચ્ચે રોમાંચક સ્પર્ધા યોજાઈ હતી. ફાઇનલમાં વિજેતા ટીમને હવે સૌરાષ્ટ્ર પ્રાંતની 23 ટીમો સામે સ્પર્ધા કરવાની તક મળશે. ત્યારબાદ લાયકાતના આધારે પ્રાંત અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ આગળ વધવાની તક મળશે.

 

કેશોદના શરદ ચોક સ્થિત લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલી આ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો વિસ્તાર, આત્મવિશ્વાસ, રાષ્ટ્રીય ભાવના અને સ્વસ્થ સ્પર્ધાત્મક વલણ વિકસાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું.

સમગ્ર આયોજનમાં શ્રી જલ્પેશભાઈ ડોબરિયા અને શ્રી જિતેન્દ્રભાઈ ધોળકિયાએ સંયોજક તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના પ્રમુખ આર.પી. સોલંકી, સચિવ જિતેન્દ્ર પટેલ, સંપર્ક સચિવ નિશાંત પુરોહિત, કોષાધ્યક્ષ જયદીપભાઈ સોની તથા સ્થાપક પ્રમુખ ડૉ. સ્નેહલ તન્નાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

અંતે આયોજકોએ તમામ વિજેતા અને ભાગ લેનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગામી તબક્કાની સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આવી જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમને દેશના ઇતિહાસ, સંસ્કૃતિ તથા રાષ્ટ્રીય મૂલ્યો સાથે વધુ નજીકથી જોડે છે.

 

રિપોર્ટર:-દિનેશ મહિડા કેશોદ જુનાગઢ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ