જાહેરાત
તાજા સમાચાર
મુંબઈ 3.0: 124 ગામોને જોડીને રાયગઢમાં બનશે ભવિષ્યનું સ્માર્ટ સિટી. | ગોંડલના ભોજપરામાં ખાદ્ય તેલમાં ભેળસેળનો પર્દાફાશ, 2,695 કિલો શંકાસ્પદ તેલ જપ્ત. | ગુજરાતમાં 11 મુખ્ય ‘લાયન કોરિડોર’ની ઓળખઃ ગીરથી બરડા સુધી સિંહોની સુરક્ષિત અવરજવર માટે મહત્વપૂર્ણ પગલું. | અમેરિકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ટેક્નોલોજી ફોકસ: સેમીકન્ડક્ટરથી AI, હેલ્થટેક અને ગેમિંગ સુધી ઉદ્યોગ અગ્રણીઓ સાથે મંથન. | ભાણવડના કલ્યાણપુરમાં જુગાર અને દારૂ સામે પોલીસની કાર્યવાહી. | મહુવામાં અન્ન-પુરવઠા વિભાગની સઘન તપાસઃ રૂ. 2.38 લાખનો બિનઅધિકૃત ઘઉંનો જથ્થો જપ્ત. | ગુજરાતમાં પંચાયત અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ-અલગઃ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. | ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. | શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 250થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,200ની આસપાસ. | અદાણી બાદ ગુજરાત ગેસનો પણ CNGના ભાવમાં મોટો વધારો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૦ વાર જોવાયેલ 50 મિનિટ પેહલા

મારું શહેર ગોંડલના ભોજપરામાં ખાદ્ય તેલમાં ભેળસેળનો પર્દાફાશ, 2,695 કિલો શંકાસ્પદ તેલ જપ્ત.

ગોંડલના ભોજપરામાં ખાદ્ય તેલમાં ભેળસેળનો પર્દાફાશ, 2,695 કિલો શંકાસ્પદ તેલ જપ્ત.

ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલી એક ફેક્ટરીમાં ખાદ્ય તેલમાં ભેળસેળ થતી હોવાની આશંકા વચ્ચે રાજકોટ ગ્રામ્ય પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. ‘મુરલીધર પ્રોટીન્સ’ નામના શેડમાં તપાસ દરમિયાન 2,695 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્થળ પરથી વિવિધ બ્રાન્ડના તેલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શંકાસ્પદ જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિવિધ પ્રકારનું શંકાસ્પદ તેલ મળી આવ્યું

દરોડા દરમિયાન જપ્ત કરાયેલા જથ્થામાં સન ગોલ્ડ સનફ્લાવર તેલ, કીંગ સનફ્લાવર તેલ, મહારાણી કપાસીયા તેલ અને સોયાબીન તેલનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે વેપાર સાથે સંકળાયેલા જયદેવ ડાંગર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ભેળસેળનું નેટવર્ક કેટલું મોટું?

પોલીસે હવે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ફેક્ટરીમાં આ પ્રકારની પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી, શંકાસ્પદ તેલનો કેટલો જથ્થો અગાઉ બજારમાં પહોંચાડવામાં આવ્યો હતો અને સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

શંકાસ્પદ તેલના નમૂનાઓની તપાસ બાદ તેની ગુણવત્તા અને તેમાં ખરેખર ભેળસેળ થઈ હતી કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. ઘટનાને પગલે ભોજપરા સહિત સમગ્ર ગોંડલ પંથકમાં ખાદ્ય તેલના વેપારને લઈને ચર્ચા તેજ બની છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ