જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૧૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

સબરસ રક્ષાબંધનના શુભ મુહૂર્ત

રક્ષાબંધનના શુભ મુહૂર્ત

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ભાઈને રાખડી બાંધવા માટે સવારે 5:57થી 9:48 વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત દિવસ દરમિયાન અન્ય શુભ મુહૂર્ત પણ છે.

રક્ષાબંધનના શુભ સમય

  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:48 થી 05:36 સુધી
  • રાખડી બાંધવાનો શુભ સમય: સવારે 05:57 થી 09:48 સુધી
  • અમૃત કાળ: સવારે 09:31 થી 11:07 સુધી
  • અભિજિત મુહૂર્ત: બપોરે 12:15 થી 01:06 સુધી
  • ચલ ચોઘડિયું: સાંજે 05:13 થી 06:48 સુધી
  • અમૃત કાળ: સાંજે 07:43 થી 09:23 સુધી

રાહુ કાળમાં રાખડી બાંધવાનું ટાળો

રાહુ કાળ: સવારે 11:06 થી બપોરે 12:40 સુધી રહેશે. ધાર્મિક માન્યતા મુજબ આ સમય દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું શુભ માનવામાં આવે છે.

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ બંધનના પર્વ રક્ષાબંધન પર શુભ મુહૂર્તમાં રાખડી બાંધીને ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની કામના કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ