પાછા મુખ્ય સમાચાર પર
સબરસ
૧૯ વાર જોવાયેલ
•
એક કલાક પેહલા
સબરસ રક્ષાબંધનના શુભ મુહૂર્ત
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ભાઈને રાખડી બાંધવા માટે સવારે 5:57થી 9:48 વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત દિવસ દરમિયાન અન્ય શુભ મુહૂર્ત પણ છે.
રક્ષાબંધનના શુભ સમય
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:48 થી 05:36 સુધી
- રાખડી બાંધવાનો શુભ સમય: સવારે 05:57 થી 09:48 સુધી
- અમૃત કાળ: સવારે 09:31 થી 11:07 સુધી
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:15 થી 01:06 સુધી
- ચલ ચોઘડિયું: સાંજે 05:13 થી 06:48 સુધી
- અમૃત કાળ: સાંજે 07:43 થી 09:23 સુધી
રાહુ કાળમાં રાખડી બાંધવાનું ટાળો
રાહુ કાળ: સવારે 11:06 થી બપોરે 12:40 સુધી રહેશે. ધાર્મિક માન્યતા મુજબ આ સમય દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું શુભ માનવામાં આવે છે.
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ બંધનના પર્વ રક્ષાબંધન પર શુભ મુહૂર્તમાં રાખડી બાંધીને ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની કામના કરવામાં આવે છે.
આ સમાચાર શેર કરો: