જાહેરાત
તાજા સમાચાર
જામકંડોરણા નજીક વાડીની ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા, ₹2.73 લાખનો મુદ્દામાલ જપ્ત. | ભાટિયામાં તિલાક નદી પર નવા કોઝવેનું લોકાર્પણ, વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ. | SCO સમિટમાં વડાપ્રધાન મોદી અને ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે પ્રથમ રૂબરૂ મુલાકાત. | નેપાળમાં પૂરની વિનાશકારી સ્થિતિ યથાવત: મૃતકઆંક 788, 2,500થી વધુ લોકો હજુ ગુમ. | ન્યૂયોર્કમાં ભારતીય તિરંગાના અપમાનનો આરોપ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કડક પ્રતિક્રિયા. | ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 7નાં મોત, અનેક ઇજાગ્રસ્ત. | કેશોદમાં નંબર પ્લેટ વગર વાહન ચલાવતી GRD કર્મચારી સામે પોલીસની કાર્યવાહી. | જૂનાગઢ મનપાની બેદરકારીનો ગંભીર આક્ષેપ: ઝાડ કાપતી વખતે 20 વર્ષીય શ્રમિકનું મોત. | જામનગર એસટી ડેપોના નિવૃત્ત ડ્રાઈવર જે.ડી. ગોહિલનું સન્માન. | જામનગર લોકમેળામાં ફાયર સેફ્ટી અંગે ફાયર વિભાગનું સઘન ચેકિંગ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર ભાટિયામાં તિલાક નદી પર નવા કોઝવેનું લોકાર્પણ, વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ.

ભાટિયામાં તિલાક નદી પર નવા કોઝવેનું લોકાર્પણ, વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ.

જામ-કલ્યાણપુર તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ભાટિયા ગામે તિલાક નદી પર નિર્માણ પામેલા નવા કોઝવેનું લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખ પુરીબેન બાબુભાઈ ગોજીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

શિવ પાર્ક-2, વાણંદ સોસાયટી, શ્રીજીનગર તેમજ વાડી વિસ્તારને જોડતો આ કોઝવે શરૂ થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાતા આ વિસ્તારોના રહેવાસીઓ અને ખેડૂતોને ગામમાં આવવા-જવા માટે લાંબો ચક્કર મારવો પડતો હતો. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો.

સ્થાનિક રહેવાસીઓ, સોસાયટીવાસીઓ અને ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખી તાલુકા પંચાયત દ્વારા કોઝવેનું નિર્માણ કરવામાં આવ્યું, જેના કારણે હવે આ વિસ્તારના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે.

લોકાર્પણ પ્રસંગે પૂર્વ ઉપસરપંચ બાબુભાઈ ગોજીયા, જેઠાભાઈ ચાવડા (જેટકો), પરેશભાઈ દાવડા, ઉકાભાઈ કણજારિયા, વેપારી આગેવાન નીતિનભાઈ નથવાણી, સતવારા સમાજના પ્રમુખ નરસિંહભાઈ સોનગરા, મશરીભાઈ ગોજીયા, ઓશુભાઈ ચાકી, કલાભાઈ પરમાર સહિત ગ્રામજનો અને સોસાયટીવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પુરીબેન ગોજીયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ભાટિયા ગામના રોડ-રસ્તા અને પાણી સંબંધિત પ્રશ્નોના પણ તબક્કાવાર ઉકેલ માટે કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ ગામના મુખ્ય માર્ગોના વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે.

સ્થાનિક લોકોએ પણ પી.આર.એસ. હાઈસ્કૂલથી આશાપુરા મંદિર સુધીનો માર્ગ તથા કેસરિયા તળાવ પાછળનો રસ્તો અત્યંત જર્જરિત હોવાથી બંને માર્ગોનું તાત્કાલિક નવીનીકરણ કરવાની માંગ કરી હતી.

 

અહેવાલ અશ્વિન જોશી ભાટીયા

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ