જાહેરાત
તાજા સમાચાર
સતર તાલુકા ઔદીચ્ય બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા બળેવ નિમિત્તે સમૂહ ભોજન અને સામાન્ય સભાનું આયોજન. | જામકંડોરણા નજીક વાડીની ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા, ₹2.73 લાખનો મુદ્દામાલ જપ્ત. | ભાટિયામાં તિલાક નદી પર નવા કોઝવેનું લોકાર્પણ, વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ. | SCO સમિટમાં વડાપ્રધાન મોદી અને ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે પ્રથમ રૂબરૂ મુલાકાત. | નેપાળમાં પૂરની વિનાશકારી સ્થિતિ યથાવત: મૃતકઆંક 788, 2,500થી વધુ લોકો હજુ ગુમ. | ન્યૂયોર્કમાં ભારતીય તિરંગાના અપમાનનો આરોપ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કડક પ્રતિક્રિયા. | ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 7નાં મોત, અનેક ઇજાગ્રસ્ત. | કેશોદમાં નંબર પ્લેટ વગર વાહન ચલાવતી GRD કર્મચારી સામે પોલીસની કાર્યવાહી. | જૂનાગઢ મનપાની બેદરકારીનો ગંભીર આક્ષેપ: ઝાડ કાપતી વખતે 20 વર્ષીય શ્રમિકનું મોત. | જામનગર એસટી ડેપોના નિવૃત્ત ડ્રાઈવર જે.ડી. ગોહિલનું સન્માન. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩ વાર જોવાયેલ 55 મિનિટ પેહલા

મારું શહેર સતર તાલુકા ઔદીચ્ય બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા બળેવ નિમિત્તે સમૂહ ભોજન અને સામાન્ય સભાનું આયોજન.

સતર તાલુકા ઔદીચ્ય બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા બળેવ નિમિત્તે સમૂહ ભોજન અને સામાન્ય સભાનું આયોજન.

સતર તાલુકા ઔદીચ્ય બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા બળેવ નિમિત્તે 28 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વકર્મા ની વાડી ખાતે સમૂહ ભોજન, સામાન્ય સભા તેમજ પૂર્વ પ્રમુખો અને દાતાશ્રીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

સામાન્ય સભાની કાર્યવાહી દરમિયાન સ્વાગત બાદ મંત્રીશ્રીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જ્યારે ખજાનચી શ્રી કનૈયાલાલ જોશીએ ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો.

 

પ્રસંગે મંડળના પૂર્વ પ્રમુખ ડો. દેવાંશુ શુક્લ અને શ્રી અરુણભાઈ શુક્લનું શાલ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દાતાશ્રી શ્રી દીપકભાઈ દવે અને શ્રી હર્ષદભાઈ દવેનું અનુક્રમે ઉપપ્રમુખ શ્રી હેમંત પાઠક અને મંત્રી શ્રી ધર્મેન્દ્ર રાવલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સહમંત્રી શ્રી જયદીપ રાવલે કર્યું હતું. મંડળના તમામ કારોબારી સભ્યોના સહયોગ અને આયોજનથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

પ્રમુખ શ્રી અશોકભાઈ ભટ્ટે આગામી સમયમાં સમાજની જગ્યાના વિકાસ અને વિવિધ આયોજનો માટે દાન આપવાની અપીલ કરતાં સભ્યો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

કાર્યક્રમના અંતે તમામ સભ્ય પરિવારો સમૂહ ભોજન પ્રસાદનો લાભ લઈ આનંદપૂર્ણ વાતાવરણમાં વિદાય થયા હતા.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ