ટૉપ ન્યૂઝ એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દમાસ્કસથી દિલ્હી જતી ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, BDS અને પોલીસ ટીમો તૈનાત
દમાસ્કસથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS)ની ટીમ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
ધમકી મળ્યા બાદ ફ્લાઈટ અને તેમાં સવાર મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. BDS ટીમ દ્વારા વિમાનની તપાસ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફ્લાઈટને મળેલી ધમકી સાચી હતી કે માત્ર અફવા, તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.